સીએમ યોગીનો મોટો ફેસલોઃ 17 OBC જાતિને મળશે SCનો દરજ્જો
સીએમ યોગીનો મોટો ફેસલોઃ 17 OBC જાતિને મળશે SCનો દરજ્જો
લખનઉઃ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મોટો ફેસલો કરતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની 17 જાતિઓને અનુસૂચિત જાતિઓની યાદીમાં નાખી દીધી છે. આ અતિ પછાત જાતી છે- નિષાદ, બિન્દ, મલ્લાહ, કેવટ, કશ્યપ, ભર, ધીવર, બાથમ, માછીમાર, પ્રજાપતિ, રાજભર, કહાર, કુંભાર, ધીમર, માંઝી, તુરહા અને ગૌડ. આ જાતિઓને એસસી કેટેગરીમાં નાખવાનો સીધો ફાયદો તેમના વધતા આરક્ષણના ફાયદા તરીકે થશે. આનાથી સરકાર પછાત જાતિઓને લોભાવવાના ફેસલા તરીકે જોવામાં આવી રહ્યું છે.
જો કે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ ફેસલો કોર્ટના અંતિમ આદેશના આધીન હશે. એટલે કે જો કોર્ટનો અંતિમ નિર્ણય આ જાતિઓને અનુસૂચિત જાતિમાં સામેલ કરવાનો આવે છે, તો પછી તેમને અનુસૂચિત જાતિના ક્ષેત્રથી બહાર કરી દેવામાં આવશે. જ્યારે જો કોર્ટ આ અનુસૂચિત જાતિમાં યથાવત રાખવા કહે છે તો તેમનું આ સ્ટેટસ યથાવત રહેશે.
Uttar Pradesh Government adds 17 castes, including Kashyap, Mallah, Kumhar, Rajbhar, Prajapati & others in the list of Scheduled Castes. District officers have been ordered to issue Caste Certificate to the families of those belonging to these 17 castes.
— ANI UP (@ANINewsUP) June 28, 2019
જણાવી દઈએ કે યોગી આદિત્યનાથ સરકાર લાંબા સમયથી આ 17 પછાત જાતિઓને અનુસૂચિત જાતિની યાદીમાં નાખવાનો પ્રયાસ કરી રહી હતી. યોગી સરકારની આ જાતિઓને એસસી લિસ્ટમાં નાખવા પાછળ તર્ક એ છે કે આ એ જાતિઓ છે જે સામાજિક અને આર્થિક રૂપે અતિ પછાત છે. અન્ય પછાત વર્ગમાં રહેવા છતાં તેમના જીવનસ્તરમાં કોઈ સુધારો ન થયો. અગાઉ સપા અને બસપાની સરકાર પણ આવું કરવાનો પ્રયાસ કરી ચૂકી હતી પરંતુ તેઓ સફળ નહોતા થયા.
ઓસ્ટ્રેલિયન પીએમે ટ્વીટ કરી મોદી સાથેની સેલ્ફી, લખ્યુ, 'કેટલા સારા છે મોદી'