સંજય રાઉતને મોટી રાહત, મની લોન્ડ્રિંગ કેસમાં કોર્ટે જામીન મંજુર કર્યા!
શિવસેના નેતા સંજય રાઉતને મોટી રાહત મળી છે. આખરે હવે તેઓ જેલમાંથી બહાર આવ્યા છે. સંજય રાઉત 1 ઓગસ્ટથી જેલમાં હતા. મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ હાજ આખરે હવે ત્રણ મહિના બાદ કોર્ટે જામીન મંજુર કર્યા છે.
મુંબઈ : શિવસેના નેતા સંજય રાઉતને મોટી રાહત મળી છે. આખરે હવે તેઓ જેલમાંથી બહાર આવ્યા છે. સંજય રાઉત 1 ઓગસ્ટથી જેલમાં હતા. મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ હાજ આખરે હવે ત્રણ મહિના બાદ કોર્ટે જામીન મંજુર કર્યા છે. આ નિર્ણય મુદ્દે ED એ સ્ટે માંગ્યો હતો. પરંતુ કોર્ટે આ માંગને ફગાવી હતી. ઈડીએ કોર્ટના નિર્ણય સામે અપીલ કરવા માટે સમય માંગ્યો હતો. જે કોર્ટે ન સ્વીકારી ધરપકડ માટે એજન્સીને ઠપકો પણ આપ્યો હતો.

સંજય રાઉતને જામીન મળતા જે તેમના સમર્થકોએ જોરદાર સ્વાગત કર્યુ હતું. અહીં તમને જણાવી દઈએ કે, કોર્ટે 21 ઓક્ટોબરે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.
EDએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, સંજય રાઉતને બેનામી આવકથી અત્યાર સુધીમાં 3.27 કરોડ રૂપિયા મળ્યા છે. ગોરેગાંવ વિસ્તારમાં પાત્રા ચાલના પુનઃવિકાસમાં નાણાકીય ગેરરીતિઓમાં કથિત ભૂમિકા બદલ EDએ સંજય રાઉતની ધરપકડ કરી હતી. કોર્ટ દ્વારા તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા હતા. જે બાદ તેમને મધ્ય મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલાયા હતા.












Click it and Unblock the Notifications
