ઉમર ખાલિદને મોટી રાહત, બહેનના લગ્ન માટે કોર્ટે જામીન આપ્યા
ઉમર ખાલિદ દિલ્હી દંગાના કેસમાં જેલમાં છે. તેના પર છડયંત્રનો આરોપ છે. ઉમર ખાલિદનું નામ જેએનયુ વિવાદમાં પણ સામે આવ્યુ હતું.
દિલ્હી દંગામાં આરોપી ઉમર ખાલિદને કોર્ટે મોટી રાહત આપી છે. સામે આવી રહેલા અહેવાલો અનુસાર, ઉમર ખાલિદને તેની પહેનના લગ્ન માટે કોર્ટે જામીન આપ્યા છે. દિલ્હીની કડકડડૂમા કોર્ટે ઉમર ખાલિદને 23થી 30 ડિસેમ્બર સુધીના જામીન આપ્યા છે.

મળતી વિગતો અનુસાર, ઉમર ખાલિદે તેની બહેનના લગ્ન માટે કોર્ટમાં જામીન અરજી કરી હતી. હવે કોર્ટે તેની અરજી ધ્યાને રાખીને વચગાળાના જામીન આપ્યા છે. જામીન મળતા ઉમર ખાલિદ 23થી 30 ડિસેમ્બર માટે જેલમાંથી બહાર આવશે અને બહેનના લગ્ન બાદ 30 ડિસેમ્બરે સરેન્ડર કરવાનું રહેશે. અહીં તમને જણાવી દઈએ કે, ઉમર ખાલિદ 2020 દિલ્હી દંગામાં આરોપી છે. તેના પર છડયંત્ર કરવાનો આરોપ છે.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે, ફેબ્રુઆરી 2020માં ઉત્તર અને પુર્વ દિલ્હીમાં સીએએ અને એનઆરસીના વિરોધ દરમિયાન હિંસા થઈ હતી. આ હિંસા સાંપ્રદાયિક થઈ જતા 53 લોકોના મોત થયા હતા અને 700 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઉમર ખાલિદ જેએનયુ વિવાદમાં પણ સામેલ હતો. અહીં દેશવિરોધી નારેબાજીને લઈને પણ તે વિવાદમાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
