Bihar Election: કેન્દ્રીય મંત્રીના કાશ્મીરી આતંકીવાળાં નિવેદન પર ગરમાવો
Bihar Election: કેન્દ્રીય મંત્રીના કાશ્મીરી આતંકીવાળાં નિવેદન પર ગરમાવો
બિહાર વિધાનસભા ચૂંટણીને ચૂંટણી જનસભામાં બિહારમાં કાશ્મીર આતંકીના સહારા વાળા મોદી સરકારના મંત્રીના નિવેદન પર રાજકીય ગરમાવો વધી ગયો છે. રાજદે કેન્દ્રીય રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના નિવેદન પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે જેમાં બિહારમાં મહાગઠબંધન સરકાર બન્યા બાદ કાશ્મીરના આતંકીઓએ બિહારમાં શરણ લેવાની વાત કહી હતી.

રાજદ પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે NDAએ ચૂંટણી પહેલાં જ હાર માની લીધી છે. આરોપ લગાવ્યો કે શ્રી રાય ગૃહ યુદ્ધ કરાવવા ઈચ્છી રહ્યા છે. કેન્દ્ર કાશ્મીરને સંભાળી નથી શકતું અને હવે તેઓ બિહારની જનતાને આતંકી ગણાવી રહ્યા છે. ભાજપે આ નિવેદન માટે માફી માંગવી જોઈએ.
મહનારની ચૂંટણી જનસભામાં નિત્યાનંદે આ વાત કહી હતી
જણાવી દઈએ કે મહનારમાં સોમવારે જદયૂ ઉમેદવારના નામાંકન બાદ થયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજદ પર ગંભીર આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે સત્તા માટે તેઓ (રાજદ) કોઈનીપણ સાથે સમજૂતી કરી શકે છે. તેમણે કહ્યું કે જો બિહારમાં રાજદની સરકાર બનશે તો કાશ્મીરના આતંકવાદીઓને બિહારમાં સહારો મળશે.
કેન્દ્રીય રાજ્યમંત્રીએ સભાને સંબોધનના ક્રમમાં કહ્યું કે જો બિહારમાં આરજેડીની સરકાર બનશે તો કાશ્મીરમા જે આતંકવાદીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે તેઓ ત્યાંથી આવીને બિહારની ધરતી પર સહારો લેવા આવી જશે, પરંતુ અમે એવું નહિ થવા દઈએ.
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
