ઠાકરેએ ઓક્યુ ઝેર,'દિલ્હી ગેંગરેપના બધા આરોપીઓ બિહારી'

રાજ ઠાકરેએ જણાવ્યું કે શું કોઇએ પૂછ્યું કે બળાત્કાર કરનાર કોણ હતા. બધા લોકો બળાત્કાર-બળાત્કારની બૂમો પાડી રહ્યા છે. પરંતુ આ અંગે કોઇ વાત નથી કરી રહ્યું. પરંતુ એ કોઇ નથી કહી રહ્યું કે તમામ બળાત્કારીઓ બિહારના છે. આ લોકો જ્યા જાય છે ત્યાં અપરાધનો ફેલાવો કરે છે. તેમણે જણાવ્યું કે આ વાત દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતે પણ કરી હતી કે દિલ્હીમાં ક્રાઇમ પરપ્રાંતિયોના કારણે વધી રહ્યો છે.
આ મામલે કોઇ કંઇ કહેવા તૈયાર નથી, અને જ્યારે હું બોલું છું તો સૌની નજરે ચડું છું. આ પહેલી વખત નથી પરંતુ આ પહેલા ઘણી વખત રાજ ઠાકરે બિહારીઓની સામે ઝેર ઓકી ચૂક્યા છે. આ પહેલા તેમણે બિહારીઓને ઘુસણખોર ગણાવ્યા હતા. જેના કારણે તેમની સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ પણ નોંધાઇ ચૂકી છે.
આ પ્રકારની ભાષણબાજી તેઓ હંમેશાથી કરતા આવ્યા છે. મુંબઇ હુમલાના તાર પણ તેમણે બિહાર સાથે જોડવાના પ્રયત્નો કર્યા હતા. મુંબઇ હુમલાના મામલે બિહારના ચરમપંથીઓની ધરપકડ બાદ રાજે કહ્યું હતું કે આ બાબત એ દર્શાવે છે કે આ મામલાનો સંબંધ બિહાર સાથે હતો.












Click it and Unblock the Notifications
