ગુજરાતના પીડિતોની માફક ચૂપ રહેવાનું નથી પાકિસ્તાન: બિલાવલ ભુટ્ટો
નવી દિલ્હી, 9 ઓક્ટોબર: કેટલાક દિવસો પહેલાં આખા કાશ્મીર પોતાનું બનાવી લેવાનું નિવેદન આપી વિવાદોમાં સપડાયેલા પીપીપીના નેતા અને પૂર્વ વડાપ્રધના બેનજીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટોએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.
જો કે બિલાવલ ભુટ્ટોના ભારત-પાકિસ્તાન સીમા પર ચાલુ તણાવ પર આવું નિવેદન આપ્યા બાદ સોશિયલ મીડિયા પર બિલાવલ ભુટ્ટોની મજાક ઉડી. જો કે બિલાવલ ભુટ્ટો ટ્વિટમાં ઇઝરાઇલનો સ્પેલિંગ ખોટો હતો. ત્યારબાદ જ ટ્વિટર પર એકવાર ફરી લોકોએ બિલાવલ ભુટ્ટોની મજાક ઉડાવવાનું શરૂ કરી દિધું છે. ટ્વિટર પર ત્યારબાદ #YoBilawalSoDumb ટ્રેંડ કરી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બિલાવલ ભુટ્ટોએ થોડા દિવસો પહેલાં કાશ્મીર પર પણ આવું જ વિચિત્ર નિવેદન આપ્યું હતું, જેને લઇને તેમની મજાક ઉડાવવામાં આવી હતી. પાકિસ્તાન દ્વારા થઇ રહેલી સતત ફાયરિંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દાવો કર્યો છે કે બધુ જલદી ઠીક થઇ જશે. પીટીઆઇને નરેન્દ્ર મોદીએ કહ્યું કે જલદી બધુ ઠીક થઇ જશે.
Another
attack
on
LOC.
seems
India
adopting
Israle
model
vs
Pakistan.Modi
must
realize
we
can
retaliate
unlike
his
victims
from
Gujarat.
—
BilawalBhuttoZardari
(@BBhuttoZardari)
October
7,
2014
સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડર પર પાકિસ્તાનનો સામનો કરવા માટે સુરક્ષાબળોને ખુલી છૂટ આપવામાં આવી છે. વડાપ્રધાને પરિસ્થિતીનો ઉકેલ લાવવાની જવાબદારી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને સોંપી છે.
Meri
2statements
nay
Hindustan
ki
raato
ki
need
ura
di,yeh
tu
shurowaat
hai,Abhi
tu
agay
agay
dekho
hota
hai
kya...Kashmir
banayga
Pakistan!
—
BilawalBhuttoZardari
(@BBhuttoZardari)
October
8,
2014
પાકિસ્તાન દ્વારા ગત થોડા દિવસોથી ચાલુ સંઘર્ષવિરામનું ઉલ્લંઘન બુધવારે પણ ચાલુ રહ્યું. બુધવારે મોડી સાંજે જમ્મૂના કાણાચક, અરનિયા, આરએસપુર અને સાંબામાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ફાયરિંગ કર્યું. પાકિસ્તાનની આ ફાયરિંગનો બીએસએફે જવાબ આપ્યો છે.