બીરભુમ હિંસા: કોલકાતા હાઇકોર્ટે મમતા સરકાર પાસે 24 કલાકમાં માંગ્યો સ્ટેટસ રિપોર્ટ
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં કથિત રીતે આઠ લોકોને જીવતા સળગાવવાના કેસમાં કલકત્તા હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ રહી છે. બીરભૂમના રામપુરહાટમાં થયેલી હિંસા અંગે સુઓ મોટુ સંજ્ઞાન લેતા, કલકત્તા હાઈકોર્ટે રાજ્ય સરકારને આવતીકાલે ગુરુવા
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં કથિત રીતે આઠ લોકોને જીવતા સળગાવવાના કેસમાં કલકત્તા હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ રહી છે. બીરભૂમના રામપુરહાટમાં થયેલી હિંસા અંગે સુઓ મોટુ સંજ્ઞાન લેતા, કલકત્તા હાઈકોર્ટે રાજ્ય સરકારને આવતીકાલે ગુરુવારે બપોરે 2 વાગ્યા સુધીમાં કોર્ટમાં ઘટનાનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું છે. હાઈકોર્ટે હિંસા પ્રભાવિત ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા અને જિલ્લા ન્યાયાધીશની હાજરીમાં ઘટના સ્થળ પર ચોવીસ કલાક દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે.

કલકત્તા હાઈકોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે CFSL દિલ્હીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લે અને તપાસ માટે પુરાવા એકત્રિત કરે. આ સાથે કેસના પ્રત્યક્ષદર્શી સાક્ષીઓને ડીજી અને આઈજીપી વતી ડિસ્ટ્રિક્ટ જજની સલાહ લઈને સુરક્ષા આપવા માટે કહેવામાં આવ્યું છે.
સ્થાનિક ટીએમસી નેતાની કથિત હત્યા બાદ સોમવારે બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં અનેક ઘરોને સળગાવી દેવામાં આવ્યા હતા. જેમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લેતા ચીફ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ અને જસ્ટિસ રાજર્ષિ ભારદ્વાજની ડિવિઝન બેન્ચે આજે સુનાવણી કરી છે.
શું છે પુરો મામલો?
સોમવારે સાંજે રામપુરહાટ બ્લોક 1ના ડેપ્યુટી હેડ ભાદુ શેખની કથિત રીતે કેટલાક લોકોએ બોમ્બ ફેંકીને હત્યા કરી હતી. જ્યારે ટીએમસી નેતા શેખના મૃતદેહને વતન રામપુરહાટ ગામમાં લાવવામાં આવ્યો ત્યારે અહીં હિંસા ફાટી નીકળી હતી. લોકોએ ઘણા ઘરોમાં તાળા મારીને આગ લગાવી દીધી હતી, જેમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
મમતા સરકાર ઘેરાઇ
આ સંદર્ભે પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા શુભેંદુ અધિકારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે. આ અંગે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ પ્રદર્શન પણ કર્યું હતું. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે કહ્યું છે કે રાજ્ય હિંસા અને અરાજકતાની પકડમાં છે.રાજ્યપાલે રાજ્યના મુખ્ય સચિવ પાસેથી આ અંગે રિપોર્ટ માંગ્યો છે. તે જ સમયે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી ઘટના અંગે રિપોર્ટ પણ માંગ્યો છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી









Click it and Unblock the Notifications
