8 નવેમ્બર: કાળા નાણાં વિરોધી દિવસ કે કાળો દિવસ?
અરુણ જેટલીએ ઘોષણા કરી હતી કે, ભાજપ પક્ષ 8 નવેમ્બરને કાળા ધન વિરોધી દિવસ તરીકે ઉજવશે.
8 નવેમ્બર, 2017ના રોજ નોટબંધીની જાહેરાતને એક વર્ષ પૂર્ણ થશે. આ દિવસે ભારતીય જનતા પાર્ટી 'કાળા નાણાંના વિરોધ દિવસ' તરીકે ઉજવશે. નાણાં મંત્રી અરુણ જેટલીએ પત્રકાર પરિષદ કરી આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, 8 નવેમ્બરના રોજ પાર્ટીના તમામ નેતાઓ અને પદાધિકારીઓ દેશભરમાં આના કાર્યક્રમ કરશે. આ માટેની જવાબદારી પાર્ટીના નેતાઓને સોંપવામાં આવશે, જેની સૂચિ જલ્દી જ જાહેર કરવામાં આવશે. તેમણે આગળ કહ્યું હતું કે, વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ ભાજપે કાળા નાણાં અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે અને નોટબંધીનો નિર્ણય પણ આ હેઠળ જ લેવામાં આવ્યો હતો. અમારી સરકારે એસઆઈટીની અરજીઓને માન્ય રાખતા કાળા નાણાંને રોકવાનું કામ કર્યું. પાર્ટીનું કાળા નાણાં વિરુદ્ધનું વલણ લોકો સામે સ્પષ્ટ કરતાં 8 નવેમ્બરના રોજ દેશભરમાં 'કાળા નાણાં વિરોધી દિવસ'ની ઉજવણી કરવામાં આવશે.

વિપક્ષ ઉજવશે 'કાળો દિવસ'
આ પહેલા મંગળવારે કોંગ્રેસ સાંસદ અને રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદે નોટબંધીની જાહેરાતના દિવસને એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 8 નવેમ્બરને 'કાળા દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. મંગળવારે મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ગત વર્ષે પીએમ મોદીએ કરેલ નોટબંધીની જાહેરાત સદીનો સૌથી મોટો ગોટાળો છે. આથી 8 નવેમ્બરના રોજ તમામ વિપક્ષી દળો દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. ગુલામ નબી આઝાદે આગળ કહ્યું હતું કે, ગત વર્ષે 8 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ.1000 અને રૂ.500ની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી, જે દેશના લોકો પર બહુ મોટો પ્રહાર હતો, નોટબંધીને કારણે અર્થવ્યવસ્થાની કમર તૂટી ગઇ, મોટી સંખ્યામાં લોકોની નોકરી જતી રહી. તેમણે તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેક ઓબ્રાયન અને જદયુના શરદ યાદવની હાજરીમાં આ જાહેરાત કરી હતી. વિપક્ષની આ જાહેરાતના જવાબમાં હવે ભાજપે 'કાળ નાણાં વિરોધી દિવસ' ઉજવવાની જાહેરાત કરી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
