આદિત્ય L1ની સફળ લોન્ચિંગ પર બીજેપી-કોંગ્રેસે આપી શૂભકામનાઓ, કહ્યું- વૈજ્ઞાનિકોએ ફરી વધાર્યુ દેશનું માન
ભારતના પ્રથમ સન મિશન આદિત્ય એલ-1ના પ્રક્ષેપણ પર હવે અભિનંદનની વર્ષા શરૂ થઈ ગઈ છે. દેશ અને દુનિયાની સાથે સાથે રાજકીય પક્ષોમાં પણ અભિનંદન આપવાની સ્પર્ધા ચાલી રહી છે. આ ક્રમમાં કોંગ્રેસ પાર્ટીએ અભિનંદન પાઠવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ ઈસરોના વૈજ્ઞાનિકોની ખૂબ પ્રશંસા કરી છે.

કોંગ્રેસ પાર્ટીએ અભિનંદન આપતા કહ્યું કે ઈસરોએ દેશને ગર્વ કરવા માટે ઘણી તકો આપી છે. ચંદ્રયાન-3 પછી, ઈસરોએ આદિત્ય એલ-1 સફળતાપૂર્વક લોન્ચ કરીને ફરીથી દેશનું ગૌરવ વધાર્યું છે. દેશના વૈજ્ઞાનિકોની આ અભૂતપૂર્વ સિદ્ધિ પર સમગ્ર કોંગ્રેસ પરિવારને ગર્વ છે. ઈસરોની સમગ્ર ટીમને શુભકામનાઓ.
ISRO ने देश को गौरवान्वित होने के अनेक मौके दिए हैं।
— Congress (@INCIndia) September 2, 2023
चंद्रयान-3 के बाद ISRO ने आदित्य L-1 को सफलतापूर्वक लॉन्च कर फिर से देश का मान बढ़ाया है।
देश के वैज्ञानिकों की इस अभूतपूर्व उपलब्धि पर समस्त कांग्रेस परिवार को गर्व है। ISRO की पूरी टीम को शुभकामनाएं।
जय हिंद 🇮🇳 pic.twitter.com/xzyKgwxQsh
કોંગ્રેસની જેમ ભારતીય જનતા પાર્ટીએ પણ આદિત્ય એલ-1ના સફળ પ્રક્ષેપણ પર ઈસરોને અભિનંદન પાઠવ્યા છે. બીજેપીના ટ્વિટર હેન્ડલ પર લખવામાં આવ્યું છે કે ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય L1ના સફળ પ્રક્ષેપણ માટે ISROને અભિનંદન!
Congratulations to ISRO for the successful launch of India's first Solar Mission Aditya L1! pic.twitter.com/0wyxkfMi2U
— BJP (@BJP4India) September 2, 2023
શું છે આદિત્ય એલ1 મિશન?
આદિત્ય-એલ1 મિશન ભારતનું પ્રથમ સૌર મિશન છે. આ મિશન દ્વારા ઈસરો સૂર્ય સાથે જોડાયેલા અનેક રહસ્યો ખોલવા જઈ રહ્યું છે. આ મિશન કોરોના, કોરોનલ માસ ઇજેક્શન, પ્રી-ફ્લેર અને ફ્લેર પ્રવૃત્તિઓ અને તેમની લાક્ષણિકતાઓ, સૌર તોફાનની ઉત્પત્તિ વગેરે જેવા પરિબળોનો અભ્યાસ કરશે.












Click it and Unblock the Notifications
