કેજરીવાલનો દાવો - પંજાબમાં સરકાર તોડવા ભાજપે કર્યો 10 ધારાસભ્યોનો સંપર્ક
ગોવામાં બુધવારના રોજ એક મોટો રાજકીય ફેરબદલ થયો છે, જ્યાં કોંગ્રેસના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે.
નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર : ગોવામાં બુધવારના રોજ એક મોટો રાજકીય ફેરબદલ થયો છે, જ્યાં કોંગ્રેસના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે.
તેમણે દાવો કર્યો કે, ભાજપ પંજાબમાં તેમની સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે, આ અંતર્ગત ભાજપે પંજાબમાં AAPના 10 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે. આ સાથે તેમને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ભાજપે આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા.
ભાજપમાં જોડાવા માટે કરોડોની ઓફર
આ પહેલા કેજરીવાલે ભાજપ પર દિલ્હીમાં સરકારને તોડી પાડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેમણે વિધાનસભામાંવિશ્વાસ મત જીત્યો હતો.
AAPનો દાવો છે કે, દિલ્હીમાં 'ઓપરેશન લોટસ' નિષ્ફળ ગયું, જેના કારણે ભાજપ હવે પંજાબ પર ફોકસ કરી રહ્યુંછે.
પંજાબના મંત્રી હરપાલ ચીમાએ આરોપ લગાવ્યો છે કે, AAP ધારાસભ્યોને મોટા નેતાઓને મળવા માટે દિલ્હી આવવા માટે કહેવામાંઆવ્યું હતું.
તેમને ભાજપમાં જોડાવા માટે કરોડોની ઓફર પણ કરવામાં આવી હતી. એક ધારાસભ્યના ફોન કોલના આધારે ચીમાએ આદાવો કર્યો હતો.
ઘણા ધારાસભ્યોના ફોન આવી રહ્યા છે
ચીમાએ પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ બદલવા માટે પ્રતિ ધારાસભ્ય 25 કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે.
કર્ણાટકમાં ઓપરેશન લોટસ ભલે સફળ રહ્યું હોય, પરંતુ દિલ્હીના ધારાસભ્યોએ અડગ રહીને બીજેપીના ઓપરેશનને નિષ્ફળ બનાવી દીધું.
ભાજપના લોકો હવે AAP ધારાસભ્યોને કહી રહ્યા છે કે, જો પંજાબમાં સરકાર બદલાશે તો બળવાખોર ધારાસભ્યોને મોટું પદ આપવામાંઆવશે. જેના કારણે તેમના ધારાસભ્યોના ઘણા ફોન આવી રહ્યા છે.
ભાજપે આ વાત કહી
આ આરોપો પર ભાજપના નેતા સુભાષે કહ્યું કે, હરપાલ ચીમા ભાજપ પર પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે. આ સાબિત કરે છે કેAAP પંજાબમાં એક મોટા ભાગલા તરફ આગળ વધી રહી છે. કેજરીવાલના હસ્તક્ષેપને કારણે પાર્ટી ત્યાં પતનના આરે છે.