હિમાચલમાં બીજેપીનો નેતૃત્વ પરિવર્તનનો ઈન્કાર, ભાજપના ધારાસભ્યોની ઊંઘ હરામ!
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે રણનીતિ તૈયાર કરી દીધી છે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શ્રેષ્ઠ પ્રદર્શન બાદ હવે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી નેતૃત્વમાં ફેરફારની શક્યતા નકારી કાઢી છે.
નવી દિલ્હી, 10 માર્ચ : હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે રણનીતિ તૈયાર કરી દીધી છે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શ્રેષ્ઠ પ્રદર્શન બાદ હવે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી નેતૃત્વમાં ફેરફારની શક્યતા નકારી કાઢી છે. જ્યારે સીટીંગ ધારાસભ્યોને ટીકીટ ન મળે તેવી શક્યતા પણ તેમણે નકારી ન હતી.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સારા પ્રદર્શન બાદ હવે ભાજપ રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર ઝડપથી કામ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશમાં પાયાના સ્તરે ચૂંટણીની નક્કર વ્યૂહરચના અંગે ભાજપના નેતાઓને ચેતવણી આપી છે.
ભાજપે હિમાચલ પ્રદેશમાં કોઈ મોટા ફેરફારનો સંકેત આપ્યો નથી. જો કે પહેલા રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની વાતો થઈ હતી, પરંતુ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના નિવેદન બાદ હિમાચલ પ્રદેશમાં બીજેપીના નેતૃત્વ પરિવર્તનનો પવન ફૂંકાયો છે. મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર જયરામ ઠાકુરનું સ્થાન લેશે. હવે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે તેઓ પાર્ટી અને રાજ્ય સરકાર વચ્ચેના તાલમેલથી સંપૂર્ણપણે સંતુષ્ટ અને ખુશ છે.
બીજેપી વડાએ આ વાત કહીને કેબિનેટમાં ફેરબદલની શક્યતાને પણ નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે ભાજપ સરકાર સારૂ પ્રદર્શન કરી રહી છે. હિમાચલ પ્રદેશમાં ભાજપની નેતાગીરી બદલવાની કોઈ શક્યતા નથી. બીજી બાજુ નડ્ડાએ વર્તમાન ધારાસભ્યોને ફરીથી તક આપવાના વિષય પર કહ્યું કે તે બધું સંજોગો પર નિર્ભર કરે છે. ભાજપ અધ્યક્ષનું આ નિવેદન હવે હિમાચલના વર્તમાન ધારાસભ્યો માટે ખૂબ મહત્વનું છે. ટિકિટને લઈને તેમના નિવેદન બાદ ભાજપના ઘણા ધારાસભ્યોની ઊંઘ હરામ થઈ શકે છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
