For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગિરિરાજનો રાહુલ પર કટાક્ષઃ ‘ભૂકંપની મઝા લેવા માટે તૈયાર થઈ જાવ'

સંસદમાં આ ચર્ચા માટે બધા પક્ષોને સમય આપવામાં આવ્યો છે. કોંગ્રેસને પણ 38 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. વળી, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

સંસદમાં આજે વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાન પર ચર્ચા થશે. એવામાં સરકાર સામે એ મોટો પડકાર છે કે તે સંસદની અંદર પોતાનો બહુમત સિદ્ધ કરે. અવિશ્વાસ પ્રસ્તાવના કારણે સૂચનાના અધિકાર બિલમાં સંશોધનને રાજ્યસભામાં રજૂ નહિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંસદમાં આ ચર્ચા માટે બધા પક્ષોને સમય આપવામાં આવ્યો છે. કોંગ્રેસને પણ 38 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. વળી, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે.

giriraj

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા ટ્વિટ કર્યુ છે, 'ભૂકંપની મઝા લેવા માટે તૈયાર થઈ જાવ.' વાસ્તવમાં જ્યારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે ત્યારે કોંગ્રેસ તરફથી મોદી સરકાર પર હુમલાનું નેતૃત્વ રાહુલ ગાંધી કરશે. આ અંગે ભાજપ નેતાએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે.

તમને જણાવી દઈએ કે મોદી સરકારના નોટબંધીના નિર્ણય બાદ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે તેમને સંસદમાં બોલવા દેવામાં આવતા નથી. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે સંસદમાં માત્ર 15 મિનિટ બોલવાનો સમય મળી જાય તો પ્રધાનમંત્રી મોદી સામે ઉભા નહિ રહી શકે. જો તે નોટબંધીના મુદ્દે સંસદમાં બોલ્યા તો ભૂકંપ આવી જશે. આ નિવેદન બાદ ઘણી વાર ભાજપ નેતા આ નિવેદન પર મજાક ઉડાવે છે.

English summary
bjp leader giriraj singh says ahead of no confidence motion, get ready for earthquake
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X