ભાજપના નેતા મનોજ તિવારીએ દિલ્હીમાં કરી NRCની માંગ, બોલ્યા- ગેરકાયદેસર પ્રવાસી ખતરનાક
ભાજપના નેતા મનોજ તિવારીએ દિલ્હીમાં કરી NRCની માંગ, બોલ્યા- ગેરકાયદેસર પ્રવાસી ખતરનાક
નવી દિલ્હીઃ આસામમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરની અંતિમ સૂચી શનિવારે જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટમાં 19 લાખ લોકોના નામ સામેલ નથી. જો કે આ લોકોને વધુ એક અંતિમ મોકો મળશે. આ લોકો ફોરેન ટ્રિબ્યૂનલ જઈ અપીલ દાખલ કરી શકે છે. જ્યારે ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવરીએ એનઆરસીને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં એનઆરસીની જરૂરત છે.
ન્યૂજ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં ઉત્તર પૂર્વી દિલ્હીથી ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે દિલ્હીમાં પણ એનઆરસીની જરૂરત છે કેમ કે સ્થિતિ બહુ ખતરનાક થતી જઈ રહી છે. ગેરકાયદેસર પ્રવાસીઓ અહીં વસ્યા છે તેઓ સૌથી ખતરનાક છે, અમે અહીં એનઆરસીને પણ લાગૂ કરશું.
BJP Delhi Chief Manoj Tiwari: National Register of Citizens (NRC) is needed in Delhi as situation is becoming dangerous. Illegal immigrants who have settled here are the most dangerous, we will implement NRC here as well. pic.twitter.com/3T2kEogFP5
— ANI (@ANI) August 31, 2019
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તેઓ એનઆરસીની જરૂરત ગણાવી ચૂક્યા છે. આ વર્ષે મે મહિનામાં તેમણે કહ્યું હતું કે રોહિંગ્યા ઘુસણખોરીના હુમલાથી દિલ્હીમાં લોકો ડરના સાંયડામાં જીવી રહ્યા છે. માટે અહીં પણ નેશનલ રજિસ્ટ્રેશન ઑફ સિટિજંસ કાનૂન લાગૂ થવો જોઈએ, જેથી લોકો આરામથી જીવી શકે.
મહારાષ્ટ્રઃ કેમિકલ ફેક્ટ્રીમાં ધમાકા બાદ આગ લાગી, 6નાં મોત, 43 ઘાયલ