સૈફના નિવેદન પર ભડક્યા ભાજપ નેતા મીનાક્ષી લેખી, તૈમૂર વિશે કહી આ વાત
ભાજપ પ્રવકતા મીનાક્ષી લેખીએ અભિનેતા સૈફ અલી ખાનના નિવેદન માટે તેમના પર નિશાન સાધ્યુ છે.
ભાજપ પ્રવકતા મીનાક્ષી લેખીએ અભિનેતા સૈફ અલી ખાનના નિવેદન માટે તેમના પર નિશાન સાધ્યુ છે. સૈફે ભારતીય ઈતિહાસ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યુ હતુ કે અંગ્રેજોથી પહેલા ઈન્ડિયાની કોઈ અવધારણ નહોતી. સૈફે આ વાત એક ઈન્ટરવ્યુ દરમિયાન કહી હતી. આ દરમિયાન તેમણે 17મી સદીના મહારાષ્ટ્રીયન સૈન્ય નેતાની કહાનીવાળી તેમની ફિલ્મ 'તાન્હાજી'ના રાજકીય સંદર્ભ વિશે સવાલ પૂછવામાં આવ્યા હતા.

સૈફે શું કહ્યુ હતુ?
સૈફે કહ્યુ હતુ, ‘મને નથી લાગતુ કે આ ઈતિહાસ છે. મને નથી લાગતુ કે અંગ્રેજોથી પહેલા ઈન્ડિયાની કોઈ અવધારણા હતી.' હવે મીનાક્ષી લેખીએ ટ્વિટ કરીને લખ્યુ છે, ‘તુર્ક પણ માનતા હતા કે તૈમૂર ક્રૂર હતો પંરંતુ તેમ છતાં લોકો પોતાના બાળકનુ નામ તૈમૂરના નામ પર રાખે છે.' તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાન અને તેમની પત્ની કરીના કપૂરના દીકરાનુ નામ તૈમૂર અલી ખાન છે. આવુ પહેલી વાર નથી જ્યારે તેમના દીકરા તૈમૂરના નામ વિશે સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
‘સાચુ કહ્યુ હું બુઢ્ઢી થઈ ગઈ'
|
‘સાચુ કહ્યુ હું બુઢ્ઢી થઈ ગઈ'
મીનાક્ષી લેખીના આ ટ્વિટનુ અમુક લોકોએ સમર્થન નથી કર્યુ. એક વ્યક્તિએ કહ્યુ, ‘બુઢ્ઢા થઈ ગયા છો. બાળકોને તો પોતાની નફરતથી દૂર રાખો.' આના જવાબમાં લેખીએ કહ્યુ, ‘સાચુ કહ્યુ હું બુઢ્ઢી થઈ ગઈ છુ એટલે સમજુ છુ કે મા બાપ જ્યારે બાળકોના નામ રાખે છે તો કોઈ સારા માણસ કે સારા વિચાર પાછળ જ નામ રાખવામાં આવે છે, નહિતર તમારા માતાપિતા કે તમે પોતે પોતાનુ નામ આઝાદની જગ્યાએ બેવકૂફ ગુલામ રાખી શકતા હતા.'
|
કેમ રાખ્યુ હતુ તૈમૂર નામ?
જો કે દીકરાનુ નામ તૈમૂર રાખવા પર સૈફે કહ્યુ હતુ, ‘મને અને મારી પત્નીને આ નામ અને તેનો અર્થ પસંદ છે. હું તૂર્કી શાસકની વિરાસતથી માહિતગાર છુ, તે તૈમૂર હતો, મારો દીકરો તૈમૂર છે, એ એક પ્રાચીન ફારસી નામ છે જેનો અર્થ છે લોહ.' સૈફ અલી ખાને 2017માં મુંબઈના અંગ્રેજી વર્તમાનપત્ર મિરર સાથે વાતચીતમાં આ કહ્યુ હતુ.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ








Click it and Unblock the Notifications
