રાહુલના નિવેદન પર ભાજપ : 20 દિવસ સુધી કેમ ના કીધું?
કોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જે ભષ્ટ્રાચારનો આરોપ લગાવ્યો છે તે પણ ભાજપના કેટલાક નેતાઓએ આ મુજબ ટિપ્પણી કરી છે.
નોંધનીય છે કે આજે કોંગ્રેસેના ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભષ્ટ્રાચારનો આરોપ લગાવ્યો હતો. અને જણાવ્યું હતું કે આ અંગે તેમની પાસે કેટલીક ખાનગી માહિતી પણ છે. જે પર ભાજપના નેતાઓએ વળતો પ્રહાર કર્યો છે. અને કહ્યું છે કે રાહુલ ગાંધી પોતાની ધીરજ ખોઇ બેઠા છે.

રાહુલના નિવેદન પર અનંત કુમારે બુધવારે કહ્યું કે જો રાહુલ પાસે આવી કોઇ જાણકારી હતી તો તેમણે 20 દિવસ પહેલા જ કેમ ના બતાવી. ત્યારે તો તે કોઇ ખુલાસો ના કરી શક્યા. વધુમાં તેમણે કહ્યું કે નિરાશાના કારણે રાહુલ ગાંધી આવા નિવેદનો આપી રહ્યા છે.
વૈંકેયા નાયડૂ
તો સૂચના અને પ્રસારણ પ્રધાન વૈંકેયા નાયડૂ કહ્યું કે રાહુલ અને કોંગ્રેસ સદન યોગ્ય રીતે કામ કરે તેવું નથી ઇચ્છતા. કેમ તે 15 દિવસથી વિમુદ્રીકરણ પર યોગ્ય રીતે ચર્ચા નથી થવા દેતા? તો બીજી તરફ રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું કે લોકોને ચર્ચા કરવા માટે ચૂંટવામાં આવે છે નહીં કે ઉત્પાત કરવા માટે. વધુમાં તેમણે કહ્યું કે છેલ્લા બે દિવસથી તેવું લાગુ રહ્યું છે કે વિપક્ષે સદન ન ચલાવવાનો સંકલ્પ કર્યો છે.












Click it and Unblock the Notifications
