પી ચિદમ્બરમનો ફરીથી મોટો હુમલો, બોલ્યા - કેબિનેટ નહિ ભાજપ નક્કી કરે છે કાયદો બનશે કે નહિ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે ફરીથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે આંદોલનકારી ખેડૂતોની માંગોને માનીને ત્રણે કૃષિ કાયદા પાછા લેવાનુ એલાન કર્યુ. પીએમ મોદીના અચાનક આ નિર્ણયને આગામી ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે. વળી, વિપક્ષે કેન્દ્ર સરકાર પર મનમાનીનો આરોપ લગાવીને મોટો હુમલો કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે કહ્યુ કે કેબિનેટની મંજૂરી વિના જ આ સરકારમાં નિર્ણય લેવામાં આવે છે.

શુક્રવારે ટ્વિટર દ્વારા પીએમ મોદી પર કટાક્ષ કર્યા બાદ કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે આજે(શનિવાર) એ ફરીથી નિશાન સાધીને કહ્યુ કે પીએમ મોદીએ કેબિનેટની બેઠકમાં આના પર ચર્ચા કર્યા વિના જ આટલી મોટી ઘોષણા કરી દીધી. પી. ચિદમ્બરમે કહ્યુ, 'શું તમે જોયુ કે પીએમ(મોદી)એ કેબિનેટની બેઠક કર્યા વિના ઘોષણા કરી? આ માત્ર ભાજપ હેઠળ છે કે કાયદો કેબિનેટની પૂર્વ મંજૂરી વિના બનાવવો અને પાછો લેવામાં આવે છે.' આ પહેલા કોંગ્રેસ નેતાએ પીએમ મોદીના ભાષણ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પર તેમના ટ્વિટ વિશે પણ હુમલો કર્યો હતો.
આજે પણ પોતાના ટ્વિટમાં તેમણે કટાક્ષ કરીને લખ્યુ, 'ગૃહમંત્રી'એ 'ઉલ્લેખનીય રાજ્ય કૌશલ' બતાવવા માટે પીએમની ઘોષણાની પ્રશંસા કરી...ભાજપ અધ્યક્ષે કહ્યુ કે પીએમને 'ખેડૂતો'ની ખૂબ ચિંતા છે...સંરક્ષણ મંત્રીએ કહ્યુ કે પીએમે 'ખેડૂતોના કલ્યાણ' માટે નિર્ણય લીધો છે.' એક અન્ય ટ્વિટમાં ચિદમ્બરમે આગળ કહ્યુ, 'છેલ્લા 15 મહિનામાં ક્યાં હતા આ યોગ્ય નેતા અને તેમની બુદ્ધિશાળી સલાહ? શું તમે ધ્યાન આપ્યુ કે પીએમે કેબિનેટની બેઠક કર્યા વિના ઘોષણા કરી? આ માત્ર ભાજપને આધીન છે કે કેબિનેટની પૂર્વ સ્વીકૃતિ વિના કાયદો બનાવવામાં આવે કે ના આવે.'
Home Minister hailed the PM’s announcement as showing ‘remarkable statesmanship’
— P. Chidambaram (@PChidambaram_IN) November 20, 2021
BJP President said that PM has ‘immense care for farmers’
Defence Minister said that PM had taken the decision considering the ‘welfare of the farmers’
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
