For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે જેલ ભરો આંદોલન કર્યું સ્થગિત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bjp-flag
નવી દિલ્હી, 27 મે: ભાજપે છત્તીસગઢમાં થયેલા નક્સલી હુમલામાં કેટલાક કોંગ્રેસ નેતાઓના મોતને ધ્યાનમાં રાખતાં કેન્દ્રની યુપીએ સરકાર વિરૂદ્ધ પહેલાંથી નક્કી કરવામાં આવેલા જેલ ભરો આંદોલનને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.

ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે સંવાદદાતાઓને કહ્યું હતું કે 'છત્તીસગઢમાં નક્સલીઓના ઘાતક હુમલામાં કોંગ્રેસના કેટલાક નેતાઓ મોતને ભેટ્યા છે. અમે આ હુમલાની આકરી ટિકા કરીએ છે. આ ભારત અને લોકતંત્ર પર મોટો હુમલો છે. આ હુમલાના કારણે અમે યુપીએ સરકારની નિષ્ફળતાઓ વિરૂદ્ધ 27 મેથી 2 જૂન સુધી યોજાનાર જેલ ભરો આંદોલનને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.

તેમને કહ્યું હતું કે પાર્ટીની કાર્યકારણીની બેઠક ગોવામાં થવાની છે અને ત્યાં આગળ પગલાં અંગે નિર્ણય લેવામાં આવશે. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે આજે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહના નેતૃત્વમાં બેઠક થઇ હતી અને તેમાં નક્સલી હિંસાના કારણે દેશ અને લોકતંત્ર સામે ઉભા થયેલા પડકારને લઇને ચર્ચા કરવામાં આવી હતી. તેમને કહ્યું હતું કે 'રાજનાથ સિંહ હુમલામાં ઇજા પામેલા વરિષ્ઠ નેતા વિદ્યાચરણ શુક્લના ખબર અંતર પુછવા માટે ગુડગાવના હોસ્પિટલમાં ગયા હતા.

English summary
The BJP on Sunday postponed its country-wide anti-UPA agitation, which was scheduled to start from Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X