કોંગ્રેસનો આરોપઃ પાયલટ અને વિદ્રોહી નેતાઓને કર્ણાટક શિફ્ટ કરવા માંગે છે ભાજપ
કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સચિન પાયલટ સહિત બાગી ધારાસભ્યોને કર્ણાટક શિફ્ટ કરવા માંગે છે
નવી દિલ્લીઃ રાજસ્થાનમાં છેલ્લા 10 દિવસમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. આ દરમિયાન ગુરુવારે સામે આવેલા બે ઑડિયા ટેપથી રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસનો દાવો છે કે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત ધારાસભ્યોને ખરીદીને ગહેલોત સરકારને અસ્થિક કરવા માંગે છે. આના માટે કોંગ્રેસે શેખાવત પર એફઆઈઆર પણ કરાવી છે. આ ઉપરાંત કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સચિન પાયલટ સહિત બાગી ધારાસભ્યોને કર્ણાટક શિફ્ટ કરવા માંગે છે જેથી તેમને પોલિસ સહિત અન્ય કાર્યવાહીથી બચાવી શકાય.

આ બાબતે કોંગ્રેસ પ્રવકતા પવન ખેડાએ કહ્યુ કે શું કારણ છે કે સચિન પાયલટને રાજસ્થાન પોલિસ કરતા હરિયાણા પોલિસ પર ભરોસો છે? એક તરફ ભાજપના વકીલ હાઈકોર્ટમાં કહે છે કે પાયલટ અને બાકીના વિદ્રોહી ધારાસભ્ય કોંગ્રેસનો હિસ્સો છે તો બીજી તરફ એ જ ધારાસભ્ય ભાજપશાસિત હરિયાણામાં પોલિસની સુરક્ષામાં રહે છે. એસઓજીની ટીમ હરિયાણામાં આરોપી ધારાસભ્યના વૉઈસ સેમ્પલ લેવા ગઈ હતી ત્યારે તે હોટલમાંથી ભાગી ગયા. હવે એ વાત સામે આવી રહી છે કે વિદ્રોહી ધારાસભ્યોને ભાજપ કર્ણાટક લઈ જવાની કોશિશ કરી રહી છે.
ખેડાએ કહ્યુ કે બધા એ વાતના સાક્ષી છે કે 10 દિવસમાં ઘણી વાર લોકતંત્રની હત્યાનો પ્રયાસ ભાજપે કર્યો છે. હરિયાણા પોલિસે એસઓજીને આરોપી ધારાભ્યોના વૉઈસ સેમ્પલ લેવાથી રોકવામાં આવ્યા. આવુ ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી થયુ. ભાજપ આરોપી ધારાસભ્યને બચાવવા માટે ખટ્ટર સરકારનો ઉપયોગ કરી રહી છે. આ ધારાસભ્ય રાજસ્થાન અને કોંગ્રેસના છે પરંતુ હરિયાણા પોલિસ તેમને સુરક્ષા આપી રહી છે.
આ ઉપરાંત ધારાસભ્યોએ પણ હોટલમાંથી ભાગવાની કોશિશ કરી જેમના પર એફઆઈઆર નથી. આનાથી સ્પષ્ટ છે કે આ આખો ભાજપનો પ્લાન છે. વળી, કેસમાં રાજસ્થાનના મંત્રી રઘુ શર્માએ કહ્યુ કે હું ભાજપના ધારાસભ્યોને મુક્ત કરવાનો પડકાર આપુ છુ. મુક્ત થતા જ તે કોંગ્રેસમાં આવી જશે કારણકે ધારાસભ્યોને ખબર છે કે જો તે લોકો વેચાઈ જશે તો ચૂંટણીમાં જનતાનો સામનો નહિ કરી શકે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
