ખડગેના આઝાદીની લડાઈ મુદ્દે નિવેદન બાદ સંસદમાં બીજેપીનો હંગામો, ખડગે નિવેદન પર અડગ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આઝાદીની લડાઈમાં બીજેપીનું કુતરુય મર્યુ નથી. હવે આ નિવેદનને લઈને સંસદમાં હંગામો થયો છે.
નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આઝાદીની લડાઈને લઈને આવેલા નિવેદને વિવાદ છેડ્યો છે. આ વિવાદ હવે સંસદ સુધી પહોંચ્યો છે. રાજ્યસભામાં બીજેપીએ ખડગેના નિવેદનને લઈને હંગામો મચાવ્યો હતો અને માફીની માંગ કરી હતી. કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે માફીની માંગ કરતાં કહ્યું કે, ખડગેએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. હું તેમના અભદ્ર ભાષણની સખત નિંદા કરું છું.

મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ સતત રાજનીતિ ગરમાઈ રહી છે ત્યારે હવે કેન્દ્રિયમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, આ ડુપ્લીકેટ કોંગ્રેસ છે. નકલી કોંગ્રેસ છે. આ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ પોતાના નિવેદન પર અડગ છે.
અહીં તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદીત નિવેદન આપતા કહ્યું હતું કે, આઝાદીની લડાઈમાં કોંગ્રેસના ઘણા નેતાઓએ જીવ આપ્યા, પરંતુ ભાજપના લોકોના ઘરેથી આઝાદીની લડાઈમાં એક કૂતરુ પણ મર્યુ નથી. ખડગેએ કહ્યું કે અમે દેશને આઝાદી અપાવી અને ઈન્દિરા અને રાજીવ ગાંધીએ દેશની એકતા માટે બલિદાન આપ્યું, તમે શું કર્યું?
આ મુદ્દે બીજેપી નેતા કિરણ રિજિજુએ કહ્યું કે, હું માની શકતો નથી કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આટલા નીચા ઉતરીને આવી વાંધાજનક ટિપ્પણી કરી શકે છે. તેમણે રાજકીય પક્ષના નેતા તરીકે પોતાની જવાબદારીઓ સમજવી જોઈએ. અમે દુશ્મન નથી, હરીફ છીએ. આ અરુચિકર, કમનસીબ અને બિનજરૂરી છે.
મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ ભાજપ સતત હુમલા કરી રહ્યું છે. આક્રમક બની ગયું છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે ખડગે સાહેબની પાર્ટી બધાને કૂતરા માને છે. મારા દાદા લગભગ 5 વર્ષ જેલમાં હતા અને કોંગ્રેસમાં હતા. કોંગ્રેસે આજ સુધી બધાને કુતરા સમાન ગણ્યા છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા








Click it and Unblock the Notifications
