મોનસૂન સત્ર બાદ મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવશે ભાજપ: સૂત્રો
નવી દિલ્હી, 5 ઑગસ્ટ : ભારતીય જનતા પાર્ટી આજથી ચાલુ થયેલા સંસદના ચોમાસું સત્ર બાદ પ્રચાર અભિયાન સમિતિના પ્રમુખ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરશે. આ પ્રકારની માહિતી સૂત્રોએ આપી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મોનસૂન સત્ર બાદ ભાજપા આ જાહેરાત કરી દેશે કે 2014માં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મોદી જ તેમના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હશે.

જ્યારે મોનસૂન સત્રના પહેલા દિવસે સોમવારે ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પ્રધાનમંત્રી મનમોહન સિંહ, નાણામંત્રી પી. ચિદમ્બરમ અને વિપક્ષના અન્ય નેતાઓ સાથે એક અનૌપચારિક વાર્તા કરી. કહેવામાં આવે છે કે અડવાણીએ પોતાની બદલાતી ભૂમિકાને લઇને ગૃહના નેતાઓ સાથે વાતચીત કરી.












Click it and Unblock the Notifications
