For Quick Alerts
For Daily Alerts
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરીશું: અમિત શાહ
તેમને કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવે. ભાજપાના મંદિર રાગ પર કેટલાક રાજકીય પક્ષોએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દિધું છે. જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવે કહ્યું હતું કે મંદિર મુદ્દાનું સમાધાન કોર્ટના આદેશ કે લોકોની સહમતિથી થવું જોઇએ.
વામપંથી દળોએ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે ભાજપા મંદિરના મુદ્દાના માધ્યમથી હિન્દુ વોટોનું ધ્રુવીકરણ કરવા માંગે છે. તે સમાજને વહેંચવાનું રાજકારણ કરી રહી છે. કોંગ્રેસ નેતા અખિલેશ સિંહે કહ્યું હતું કે મંદિર ભાજપાનો જૂનો મુદ્દો છે. તેમને આ મુદ્દા પર પરત ફરવું પડે તેમ હતું પરંતુ પ્રજા બધુ જોઇ રહી છે અને તે ચૂંટણીમાં તેમને પાઠ શિખવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બાબરી મસ્જિદ-રામ મંદિરનો મુદ્દો સુપ્રિમ કોર્ટમાં ચાલી રહ્યો છે.
Comments
amit shah bjp ram mandir loksabha election narendra modi ayodhya congress અમિત શાહ રામ મંદિર લોકસભા ચૂંટણી નરેન્દ્ર મોદી અયોધ્યા કોંગ્રેસ
English summary
Ahead of the upcoming General Elections, the Bharatiya Janata Party played the Ram Temple card when its general secretary said he wished the party will soon build a grand temple for Lord Ram here.
Story first published: Saturday, July 6, 2013, 13:18 [IST]