ગુવાહાટી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપે 43 વોર્ડ જીત્યા, AAPનું ખાતું ખુલ્યું!
ગુવાહાટી મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)ના 57 વોર્ડમાં મતગણતરી ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ 43 વોર્ડ જીત્યા છે, જ્યારે તેના સહયોગી આસોમ ગણ પરિષદ (AGP) એ પાંચ વોર્ડ જીત્યા છે.
ગુવાહાટી, 24 એપ્રિલ : ગુવાહાટી મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)ના 57 વોર્ડમાં મતગણતરી ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ 43 વોર્ડ જીત્યા છે, જ્યારે તેના સહયોગી આસોમ ગણ પરિષદ (AGP) એ પાંચ વોર્ડ જીત્યા છે. સાથે જ અહીં આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલ્યું છે. AAPના ખાતામાં એક સીટ આવી છે, જ્યારે AGPના ખાતામાં પણ એક સીટ આવી છે. ભાજપની આ જીત પર સીએમ હેમંત બિસ્વાએ કહ્યું કે, જીએમસી ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગીઓને 58/60 વોર્ડમાં ઐતિહાસિક જીત અપાવવા માટે હું ગુવાહાટીની જનતાને નમન કરું છું.

ગુવાહાટી મ્યુનિસિપલ કોર્પોરેશનના 60માંથી 57 વોર્ડમાં 22 એપ્રિલે મતદાન થયું હતું. જ્યારે ભાજપે ત્રણ બેઠકો બિનહરીફ જીતી હતી. ભાજપે અત્યાર સુધીમાં 43 વોર્ડ જીત્યા છે, જ્યારે તેના સહયોગી આસામ ગઢ પરિષદે 5 વોર્ડ જીત્યા છે અને AAP અને આસોમ રાષ્ટ્ર પરિષદ (AJP) એ એક-એક વોર્ડ જીત્યો છે. ગુવાહાટીમાં મોનીરામ દીવાન ટ્રેડ સેન્ટર ખાતે સવારે 8 વાગ્યે જીએમસી ચૂંટણી માટે મતોની ગણતરી શરૂ થઈ હતી.
ગુવાહાટી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની જીત પર મુખ્યમંત્રી હેમંત બિસ્વાએ કહ્યું, "હું GMC ચૂંટણીમાં 58/60 વોર્ડમાં ભાજપ અને તેના સહયોગીઓને ઐતિહાસિક જીત અપાવવા માટે ગુવાહાટીના લોકોને સલામ કરું છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વિશાળ જનાદેશ સાથે, માનનીય વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ લોકોએ અમારી વિકાસ યાત્રા પર વિશ્વાસની મહોર લગાવી છે.
આ સાથે જ પીએમ મોદીએ ગુવાહાટીમાં ભાજપની જીત માટે લોકોનો આભાર માન્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું, "આભાર ગુવાહાટી! વિકાસના એજન્ડાને આગળ ધપાવવા માટે આ રમણીય શહેરની જનતાએ ભાજપને જંગી જનાદેશ આપ્યો છે. તેમણે સીએમ હેમંત બિસ્વા સરકારની મહેનતને પણ આશીર્વાદ આપ્યા છે. સખત મહેનત માટે ભાજપના દરેક કાર્યકર્તાનો હું આભાર માનું છું. ગુવાહાટી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 52.80 ટકા મતદાન નોંધાયું હતું. ગુવાહાટી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 9 વર્ષના લાંબા ગાળા બાદ ચૂંટણી યોજાઈ રહી છે. 2013માં તેના પર કોંગ્રેસનો કબજો હતો, પરંતુ 2016માં આસામમાં ભાજપ સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટી જીએમસીમાં લઘુમતીમાં આવી ગઈ અને ભાજપે પોતાનો ઝંડો ફરકાવ્યો.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
