ચૂંટણી લડ્યા વિના જ 112 સીટો પર જીત્યા ભાજપના ઉમેદવાર, 5 રાજ્યોની ચૂંટણી પહેલા મળ્યા ખુશખબર
પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા ભારતીય જનતા પાર્ટી માટે એક મોટા ખુશખબર આવ્યા છે.
નવી દિલ્લીઃ દેશના પાંચ રાજ્યો - ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં આવતા વર્ષે એટલે કે 2022માં યોજનારી વિધાનસભા ચૂંટણી માટે રાજકારણ ગરમાયુ છે. આ પાંચ રાજ્યોમાંથી માત્ર પંજાબને છોડીને બાકી બધા ચાર રાજ્યોમાં ભાજપની સરકાર છે અને એક વાર ફરીથી સત્તામાં વાપસી માટે ભાજપે પૂરી તાકાત લગાવી દીધી છે. આ દરમિયાન આ પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા ભારતીય જનતા પાર્ટી માટે એક મોટા ખુશખબર આવ્યા છે. વાસ્તવમાં, ત્રિપુરામાં નગર નિગમની 112 સીટો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટણી જીતી ગયા છે.

નગર નિગમની કુલ સીટો છે 334
તમને જણાવી દઈએ કે ત્રિપુરામાં નગર નિગમની કુલ 334 સીટો માટે આવનારી 25 નવેમ્બરે મતદાન કરવામાં આવશે. વાસ્તવમાં, સોમવારે ઉમેદવારો માટે ચૂંટણીના નામ વાપસીનો છેલ્લો દિવસ હતો ત્યારબાદ ચૂંટણી પંચે ભાજપના 112 ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરી દીધા છે. 2018માં ત્રિપુરા વિધાનસભામાં જીત મેળવ્યા બાદ ભાજપ સામે આ પહેલી નગર નિગમની ચૂંટણી છે.

36 ઉમેદવારોએ લીધા નામ પાછા
ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યુ કે નગર નિગમ ચૂંટણીમાંથી પોતાનુ નામ પાછુ લેનાર 36 ઉમેદવારોમાંથી 15 નેતા વિપક્ષી દળ સીપીઆઈ(એમ)ના, ચાર નેતા તૃણમૂલ કોંગ્રેસના, આઠ કોંગ્રેસના, બે ઉમેદવાર એઆઈએફબીના અને 7 અપક્ષ ઉમેદવાર હતી. હવે બચેલી 222 સીટો માટે કુલ 785 ઉમેદવાર નગર નિગમની ચૂંટણીના મેદાનમાં છે.

કઈ કઈ સીટો પર થઈ રહી છે ચૂંટણી
ઉલ્લેખનીય છે કે ત્રિપુરાના સ્થાનિક નગર નિગમની ચૂંટણીમાં અગરતલા નગર નિગમના 51 વૉર્ડ, નગર પરિષદની 13 સીટો અને નગર પંચાયતની 6 સીટો સહિત કુલ મળીને 334 સીટો છે. આમાંથી સાત નગર નિગમો-અંબાસા નગર પરિષદ, જિરાનિયા નગર પંચાયત, મોહનપુર નગર પરિષદ, રાનીબાજાર નગર પરિષદ, વિશાલગઠ નગર પરિષદ, ઉદયપુર નગર પરિષદ અને સંતિરબાજાર નગર પરિષદમાં વિપક્ષના કોઈ ઉમેદવાર ચૂંટણી લડવા માટે સામે આવ્યા છે.

ઉમેદવારોને ડરાવવા-ધમકાવવાનો આરોપ
વળી, સીપીઆઈ(એમ)ના પ્રદેશ સચિવ જિતેન્દ્ર ચૌધરીએ ભાજપ પર તેમના ઉમેદવારોને ડરાવવા-ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. જિતેન્દ્ર ચૌધરીએ કહ્યુ, 'અમારા ઉમેદવારોને ધમકી આપવામાં આવી રહી હતી અને ગુંડાઓને ભારતીય જનતા પાર્ટીનુ પૂરુ સમર્થન મળેલુ છે. નગર નિગમની ચૂંટણીની જાહેરાતથી ઘણુ પહેલેથી જ રાજ્યમાં હિંસા શરૂ થઈ ગઈ હતી અને અમારા ઉમેદવારો ઉપર હુમલા કર્યા હતા.'

રાજ્યમાં સંપૂર્ણપણે આતંકનો માહોલ
જિતેન્દ્ર ચૌધરીએ ભાજપ પર આરોપ લગાવીને કહ્યુ, 'ગુંડાઓની મદદથી ભાજપ લોકોને ડરાવી રહી છે જેના કારણે પાંચ નગર પરિષદો અને બે નગર પંચાયતોમાં અમારા ઉમેદવારો પોતાનુ નામાંકન જ દાખલ કરી શક્યા નહિ. રાજ્યમાં સંપૂર્ણપણે આતંકનો માહોલ છે.' વળી, ત્રિપુરામાં પોતાના માટે રાજકીય જમીન શોધી રહેલી ટીએમસીએ પણ પહેલા નિવેદન આપ્યુ હતુ કે નગર નિગમની ચૂંટણીમાં પોતાના ઉમેદવારને ઉતારશે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
વિધાનસભા ચૂંટણી પછી શક્તિશાળી અને નિર્ભય આસામ ઉભરી આવશેઃ ગૌરવ ગોગોઈ -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આસામના મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી -
Assam Assembly Election 2026: સવારે 11 વાગ્યા સુધીમાં 39% મતદાન થયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ










Click it and Unblock the Notifications
