કર્ણાટકના પરિણામો બાદ ઉમર અબ્દુલ્લા બોલ્યા - જમ્મુ કાશ્મીરમાં જલ્દી ચૂંટણી કરાવવાની હિંમત નહિ કરે ભાજપ
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને લખ્યું કે, હવે કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કરાવવાની હિંમત નહીં બતાવે.
તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીએ જોરદાર જીત નોંધાવી છે. પાર્ટી અહીં વિધાનસભાની 224માંથી 135 બેઠકો જીતતી જોવા મળી રહી છે. જ્યારે ભાજપ માત્ર 65 બેઠકો સુધી જ સીમિત જણાય છે.

આવી સ્થિતિમાં કોંગ્રેસે અહીં જે રીતે જીત મેળવી છે તે પછી ઓમર અબ્દુલ્લાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આ પરિણામ પછી ભાજપ ઘાટીમાં જલ્દી ચૂંટણી નહીં કરાવે.
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી 2014માં થઈ હતી. તે સમયે ભાજપ અને પીડીપીએ મળીને રાજ્યમાં ગઠબંધન સરકાર બનાવી હતી. મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી બન્યા. તેમના નિધન બાદ તેમની પુત્રી મહેબૂબા મુફ્તી સીએમ બન્યા હતા.
ભાજપે 2018માં પીડીપીને આપેલું સમર્થન પાછું ખેંચી લીધુ હતુ અને રાજ્ય વિધાનસભા ભંગ કરવામાં આવી હતી અને રાજ્યપાલ શાસન લાદવામાં આવ્યું હતું. તે સમયે સત્યપાલ મલિક રાજ્યના ગવર્નર હતા.
2018થી વિપક્ષી પાર્ટીઓ સતત અહીં ચૂંટણી કરાવવાની માંગ કરી રહી છે. જ્યારે કેન્દ્ર સરકારે 2019માં કલમ 370 નાબૂદ કરી અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ રાજ્યો તરીકે જાહેર કર્યા ત્યારે ઘાટીમાં મોટો હલચલ મચી ગઈ હતી.
વર્ષ 2020માં, ત્રણ સભ્યોના સીમાંકન પંચની રચના કરવામાં આવી હતી, જેની અધ્યક્ષતા રંજન પ્રકાશ દેસાઈને સોંપવામાં આવી હતી. પંચનો વચગાળાનો અહેવાલ ફેબ્રુઆરી 2020માં પ્રકાશિત થયો હતો.












Click it and Unblock the Notifications
