For Quick Alerts
For Daily Alerts
દિલ્હીમાં અરબપતિ ઉદ્યોગપતિ અને બસપા નેતાની હત્યા
પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર બે વ્યક્તિઓ એક બીએમડબ્લ્યૂ કાર લઇને આવ્યા હતા અને 62 વર્ષીય ભારદ્રાજ સાથે વાતચીત કરી અને થોડીવાર બાદ તેમને ભારદ્વાજ પર ગોળી ચલાવી હતી. તેમને જણાવ્યું હતું કે સેનાના રિચર્સ એન્ડ રેફરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. પોસ્ટમોર્ટમ એમ્સમાં કરવામાં આવશે.
કહેવામાં આવે છે કે હુમલાખોરોએ ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. હુમલાખોરો ફાર્મ હાઉસની બુકિંગ કરાવવાના બહાને આવ્યાં હતા. તેમના પરિવારે ગાર્ડસની લાપરવાહીના કારણે હુમલો થયો અને દિપકની હત્યા થઇ હોવાનો આરોપ લગાવ્યો છે.
ભારદ્વાજ રિયલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલા હતા અને તેમને 2009ની લોકસભાની ચુંટણી બસપાની ટિકીટ પર લડ્યા હતા. તેમની સંપત્તિ 600 કરોડ રૂપિયાથી પણ વધારે છે.
Comments
English summary
A politician belonging to the Bahujan Samaj Party (BSP) was killed at his farmhouse here on Tuesday morning by two unidentified gunmen.
Story first published: Tuesday, March 26, 2013, 13:08 [IST]