બુરાડીઃ લલિત તંત્રમંત્ર શરૂ કરતા પહેલા જાણતો હતો, બધા 11 લોકો મરી જશે
દિલ્હીના બુરાડીમાં 11 લોકોના રહસ્યમય મોત મામલે ક્રાઈમ બ્રાન્ચ સતત તપાસ કરી રહી છે. તેમછતાં તપાસ હજુ સુધી અંતિમ છોર સુધી પહોંચી શકી નથી.
દિલ્હીના બુરાડીમાં 11 લોકોના રહસ્યમય મોત મામલે ક્રાઈમ બ્રાન્ચ સતત તપાસ કરી રહી છે. તેમછતાં તપાસ હજુ સુધી અંતિમ છોર સુધી પહોંચી શકી નથી. તપાસ દરમિયાન ઘણા ખુલાસા થઈ રહ્યા છે. આ 11 મોત માટે લલિત ભાટિયાને જવાબદાર માનવામાં આવી રહ્યો છે. તપાસ કરી રહેલ એક અધિકારીએ જણાવ્યુ કે લલિતે બધાને પૂજાની વાત કહી હતી અને તેને ખબર હતી કે બધા મરવાના છે. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બીજા 10 જણાને આ વાતનો અંદાજ નહોતો કે પૂજામાં તેમના જીવ જતા રહેશે.

એક સભ્યએ બચવા માટે માર્યા હતા હવાતિયા
પોલિસનું માનવુ છે કે 11 માંથી એક સભ્યએ અંતિમ સમયમાં પોતાનો જીવ બચાવવાની કોશિશ કરી હતી. પોલિસનું કહેવુ છે કે ફોરેન્સિક એકસ્પર્ટના મંતવ્ય અનુસાર 50 વર્ષીય ભવનેશ ભાટિયાએ અંતિમ સમયમાં પોતાને બચાવવાની અસફળ કોશિશ કરી હતી. 50 વર્ષીય ભવનેશ મરવા ઈચ્છતો નહોતો અને મોતના ફંદામાંથી બચવા માટે તેણે પોતાને છોડાવવાની પણ કોશિશ કરી હતી પરંતુ અસફળ રહ્યો. પોલિસની અશંકાનું મુખ્ય કારણ એ છે કે તેના હાથ ઢીલા બાંધેલા હતા.

લલિત જ 11 મોતનો જવાબદાર
બુરાડીમાં 11 લોકોના મોતમાં સૌથી સંદિગ્ધ રોલ પરિવારના નાના પુત્ર લલિતનો માનવામાં આવી રહ્યો છે. ઘરેથી મળેલા રજિસ્ટર અને બીજી વસ્તુઓના આધારે આ મોતો પાછળ લલિતનું જ દિમાગ માનવામાં આવી રહ્યુ છે. 45 વર્ષીય લલિત ભાટિયા યૂટ્યુબ પર ભૂતોની વાર્તા જોવાનો શોખીન હતો. તે પોતાની અંદર પોતાના પિતાની આત્મા હોવાની વાત કહેવા લાગ્યો હતો. પોલિસનું માનવુ છે કે લલિત અને તેની પત્નીએ જ પરિવારના બીજા લોકોના હાથ પગ બાંધ્યા અને તેમને ફંદા સાથે લટકાવ્યા.

ગયા રવિવારે મળ્યા હતા ઘરમાંથી 11 મૃતદેહ
1 જુલાઈના રોજ રવિવારે પોલિસને બુરાડીના એક ઘરમાંથી 11 લોકોની લાશ મળી હતી. આમાં 77 વર્ષીય નારાયણ દેવી, તેમના બે પુત્રો 50 વર્ષીય ભવનેશ ભાટિયા અને 45 વર્ષીય લલિત ભાટિયા, તેમની પત્નીઓ સવિતા (48) અને ટીના (42), નારાયણ દેવીની પુત્રી પ્રતિભા (57), અને પાંચ દોહિત્રો-પૌત્રીઓ પ્રિયંકા (33), નીતૂ (25), મોનૂ (23), ધ્રુવ (15) અને શિવમ (15) હતા. આમાંથી 10 લાશો ઘરના ગ્રિલમાં લટકેલી હતી અને બધાના હાથ અને મોઢા પર પટ્ટી બાંધેલી હતી. વળી, નારાયણ દેવી રૂમમાં જમીન પર પડ્યા હતા.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
