બુરાડીઃ લલિત તંત્રમંત્ર શરૂ કરતા પહેલા જાણતો હતો, બધા 11 લોકો મરી જશે
દિલ્હીના બુરાડીમાં 11 લોકોના રહસ્યમય મોત મામલે ક્રાઈમ બ્રાન્ચ સતત તપાસ કરી રહી છે. તેમછતાં તપાસ હજુ સુધી અંતિમ છોર સુધી પહોંચી શકી નથી.
દિલ્હીના બુરાડીમાં 11 લોકોના રહસ્યમય મોત મામલે ક્રાઈમ બ્રાન્ચ સતત તપાસ કરી રહી છે. તેમછતાં તપાસ હજુ સુધી અંતિમ છોર સુધી પહોંચી શકી નથી. તપાસ દરમિયાન ઘણા ખુલાસા થઈ રહ્યા છે. આ 11 મોત માટે લલિત ભાટિયાને જવાબદાર માનવામાં આવી રહ્યો છે. તપાસ કરી રહેલ એક અધિકારીએ જણાવ્યુ કે લલિતે બધાને પૂજાની વાત કહી હતી અને તેને ખબર હતી કે બધા મરવાના છે. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બીજા 10 જણાને આ વાતનો અંદાજ નહોતો કે પૂજામાં તેમના જીવ જતા રહેશે.

એક સભ્યએ બચવા માટે માર્યા હતા હવાતિયા
પોલિસનું માનવુ છે કે 11 માંથી એક સભ્યએ અંતિમ સમયમાં પોતાનો જીવ બચાવવાની કોશિશ કરી હતી. પોલિસનું કહેવુ છે કે ફોરેન્સિક એકસ્પર્ટના મંતવ્ય અનુસાર 50 વર્ષીય ભવનેશ ભાટિયાએ અંતિમ સમયમાં પોતાને બચાવવાની અસફળ કોશિશ કરી હતી. 50 વર્ષીય ભવનેશ મરવા ઈચ્છતો નહોતો અને મોતના ફંદામાંથી બચવા માટે તેણે પોતાને છોડાવવાની પણ કોશિશ કરી હતી પરંતુ અસફળ રહ્યો. પોલિસની અશંકાનું મુખ્ય કારણ એ છે કે તેના હાથ ઢીલા બાંધેલા હતા.

લલિત જ 11 મોતનો જવાબદાર
બુરાડીમાં 11 લોકોના મોતમાં સૌથી સંદિગ્ધ રોલ પરિવારના નાના પુત્ર લલિતનો માનવામાં આવી રહ્યો છે. ઘરેથી મળેલા રજિસ્ટર અને બીજી વસ્તુઓના આધારે આ મોતો પાછળ લલિતનું જ દિમાગ માનવામાં આવી રહ્યુ છે. 45 વર્ષીય લલિત ભાટિયા યૂટ્યુબ પર ભૂતોની વાર્તા જોવાનો શોખીન હતો. તે પોતાની અંદર પોતાના પિતાની આત્મા હોવાની વાત કહેવા લાગ્યો હતો. પોલિસનું માનવુ છે કે લલિત અને તેની પત્નીએ જ પરિવારના બીજા લોકોના હાથ પગ બાંધ્યા અને તેમને ફંદા સાથે લટકાવ્યા.

ગયા રવિવારે મળ્યા હતા ઘરમાંથી 11 મૃતદેહ
1 જુલાઈના રોજ રવિવારે પોલિસને બુરાડીના એક ઘરમાંથી 11 લોકોની લાશ મળી હતી. આમાં 77 વર્ષીય નારાયણ દેવી, તેમના બે પુત્રો 50 વર્ષીય ભવનેશ ભાટિયા અને 45 વર્ષીય લલિત ભાટિયા, તેમની પત્નીઓ સવિતા (48) અને ટીના (42), નારાયણ દેવીની પુત્રી પ્રતિભા (57), અને પાંચ દોહિત્રો-પૌત્રીઓ પ્રિયંકા (33), નીતૂ (25), મોનૂ (23), ધ્રુવ (15) અને શિવમ (15) હતા. આમાંથી 10 લાશો ઘરના ગ્રિલમાં લટકેલી હતી અને બધાના હાથ અને મોઢા પર પટ્ટી બાંધેલી હતી. વળી, નારાયણ દેવી રૂમમાં જમીન પર પડ્યા હતા.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી



Click it and Unblock the Notifications
