CAA Protest: હિંસક પ્રદર્શનમાં અત્યારસુધી 8 લોકોની મોત, યુપીના 21 જીલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા બંધ
નાગરિકત્વ સંશોધન કાયદા વિરૂદ્ધ હિંસક પ્રદર્શનમાં દેશભરમાં 8 લોકોનાં મોત નીપજ્યાં છે. શુક્રવારે એકલા ઉત્તર પ્રદેશમાં 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં. નમાઝ બાદ યુપીના અનેક જિલ્લાઓમાં ભારે હંગામો થયો હતો.
નાગરિકત્વ સંશોધન કાયદા વિરૂદ્ધ હિંસક પ્રદર્શનમાં દેશભરમાં 8 લોકોનાં મોત નીપજ્યાં છે. શુક્રવારે એકલા ઉત્તર પ્રદેશમાં 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં. નમાઝ બાદ યુપીના અનેક જિલ્લાઓમાં ભારે હંગામો થયો હતો. આ દરમિયાન બિજનોરમાં ગોળીની ઇજાને કારણે 2 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે કાનપુર, સંભાલ અને ફિરોઝાબાદમાં એક-એક વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. નાગરિકત્વ સંશોધન કાયદા સામે થયેલા હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન યુપીના ઘણા પોલીસકર્મીઓ પણ ખરાબ રીતે ઘાયલ થયા છે.

યુપીમાં અત્યાર સુધી 6 લોકોનાં મોત
નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ હિંસક પ્રદર્શન દરમિયાન ત્રણ લોકોની મોત થઇ હતી. આ હિંસક પ્રદર્શન દરમિયાન કર્ણાટકના મેંગલુરૂમાં બે લોકોના મોત થયા હતા અને લખનૌમાં એક યુવકનું ગોળી વાગતા મોત થયું હતું. અધિકારીઓનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ જાણવા મળશે. જો કે ડીજીપી યુપી ઓપી સિંહે કહ્યું હતું કે પોલીસ ફાયરિંગથી કોઈનું મૃત્યુ થયું નથી.

કર્ણાટકમાં બે લોકોનાં મોત
શુક્રવારની નમાઝ બાદ યુપીના ઘણા જિલ્લાઓમાં અચાનક હિંસક આંદોલન થયું હતું. ભદોહી, બહરાઇચ, અમરોહા, ફરૂખાબાદ, ગાઝિયાબાદ, વારાણસી, મુઝફ્ફરનગર, સહારનપુર, હાપુર, હાથરસ, બુલંદશહેર, હમીરપુર અને મહોબા જિલ્લામાં નાગરિકતા સુધારા કાયદાના વિરોધ દરમિયાન વિરોધીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘણા સ્થળોએ ભીડને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરી ટીયર ગેસના શેલ છોડ્યા હતા.

યુપીના 21 જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ
લખનૌ અને સંભલમાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ ગુરુવારે સાવચેતી રૂપે ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શનિવારે યુપીના 21 જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. યુપી પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ અફવા પર ધ્યાન આપે નહીં, વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. લખનૌ, ગાઝિયાબાદ, આગ્રા, કાનપુર, વારાણસી વગેરેમાં ઇન્ટરનેટ અવરોધિત છે જ્યારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે પણ ઇન્ટરનેટ બંધ કરાયું હતું.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
