CAA Protest: હિંસક પ્રદર્શનમાં અત્યારસુધી 8 લોકોની મોત, યુપીના 21 જીલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા બંધ
નાગરિકત્વ સંશોધન કાયદા વિરૂદ્ધ હિંસક પ્રદર્શનમાં દેશભરમાં 8 લોકોનાં મોત નીપજ્યાં છે. શુક્રવારે એકલા ઉત્તર પ્રદેશમાં 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં. નમાઝ બાદ યુપીના અનેક જિલ્લાઓમાં ભારે હંગામો થયો હતો.
નાગરિકત્વ સંશોધન કાયદા વિરૂદ્ધ હિંસક પ્રદર્શનમાં દેશભરમાં 8 લોકોનાં મોત નીપજ્યાં છે. શુક્રવારે એકલા ઉત્તર પ્રદેશમાં 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં. નમાઝ બાદ યુપીના અનેક જિલ્લાઓમાં ભારે હંગામો થયો હતો. આ દરમિયાન બિજનોરમાં ગોળીની ઇજાને કારણે 2 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે કાનપુર, સંભાલ અને ફિરોઝાબાદમાં એક-એક વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. નાગરિકત્વ સંશોધન કાયદા સામે થયેલા હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન યુપીના ઘણા પોલીસકર્મીઓ પણ ખરાબ રીતે ઘાયલ થયા છે.
યુપીમાં અત્યાર સુધી 6 લોકોનાં મોત
નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ હિંસક પ્રદર્શન દરમિયાન ત્રણ લોકોની મોત થઇ હતી. આ હિંસક પ્રદર્શન દરમિયાન કર્ણાટકના મેંગલુરૂમાં બે લોકોના મોત થયા હતા અને લખનૌમાં એક યુવકનું ગોળી વાગતા મોત થયું હતું. અધિકારીઓનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ જાણવા મળશે. જો કે ડીજીપી યુપી ઓપી સિંહે કહ્યું હતું કે પોલીસ ફાયરિંગથી કોઈનું મૃત્યુ થયું નથી.
કર્ણાટકમાં બે લોકોનાં મોત
શુક્રવારની નમાઝ બાદ યુપીના ઘણા જિલ્લાઓમાં અચાનક હિંસક આંદોલન થયું હતું. ભદોહી, બહરાઇચ, અમરોહા, ફરૂખાબાદ, ગાઝિયાબાદ, વારાણસી, મુઝફ્ફરનગર, સહારનપુર, હાપુર, હાથરસ, બુલંદશહેર, હમીરપુર અને મહોબા જિલ્લામાં નાગરિકતા સુધારા કાયદાના વિરોધ દરમિયાન વિરોધીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘણા સ્થળોએ ભીડને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરી ટીયર ગેસના શેલ છોડ્યા હતા.
યુપીના 21 જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ
લખનૌ અને સંભલમાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ ગુરુવારે સાવચેતી રૂપે ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શનિવારે યુપીના 21 જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. યુપી પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ અફવા પર ધ્યાન આપે નહીં, વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. લખનૌ, ગાઝિયાબાદ, આગ્રા, કાનપુર, વારાણસી વગેરેમાં ઇન્ટરનેટ અવરોધિત છે જ્યારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે પણ ઇન્ટરનેટ બંધ કરાયું હતું.