'રાજકીય પક્ષોને વચનો આપતાં રોકી શકતા નથી' - મફત યોજનાઓ પર CJI રમના
ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ બુધવારના રોજ એક અરજી પર સુનાવણી કરતા જણાવ્યું હતું કે, રાજકીય પક્ષોને વચનો આપતા રોકી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે મફતના મુદ્દા પર ડીએમકે દ્વારા દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી.
નવી દિલ્હી, 17 ઓગસ્ટ : ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ બુધવારના રોજ એક અરજી પર સુનાવણી કરતા જણાવ્યું હતું કે, રાજકીય પક્ષોને વચનો આપતા રોકી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે મફતના મુદ્દા પર ડીએમકે દ્વારા દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી.
શું કોર્ટ આ મુદ્દાઓની તપાસ કરવા સક્ષમ છે?
CJIએ જણાવ્યું હતું કે, જનતાને કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવી એ સરકારની ફરજ છે. આ મામલો ખૂબ જટિલ છે. સવાલ એ પણ ઊભોથાય છે કે, શું કોર્ટ આ મુદ્દાઓની તપાસ કરવા સક્ષમ છે?
સરકારના ઘણા ઉદ્દેશ્યો હોય શકે છે
ડીએમકેએ મંગળવારના રોજ જણાવ્યું હતું કે, આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પક્ષે દલીલ કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારાશરૂ કરાયેલી કલ્યાણકારી યોજનાઓને મફત કહી શકાય નહીં. આ બાબતે સરકારના ઘણા ઉદ્દેશ્યો હોય શકે છે.
સોલિસિટર જનરલ તુષારમહેતાએ જણાવ્યું હતું કે, આ મામલે મંગળવાર સુનાવણી થઈ શકે છે, કારણ કે તેમની પાસે કપિલ સિબ્બલ અને વિકાસ સિંહ દ્વારાઆપવામાં આવેલા સૂચનો નથી.
અમે કમિટી બનાવવાની વિરુદ્ધ છીએ
અરજદાર હંસરિયાએ જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટે સૂચનો પર વિચાર કરવો જોઈએ અને સમિતિની રચના કરવી જોઈએ. ડીએમકે માટે પીવિલ્સને જણાવ્યું હતું કે, અમે હસ્તક્ષેપ અરજી દાખલ કરી છે. અમે કમિટી બનાવવાની વિરુદ્ધ છીએ. ભારત એક સમાજવાદી કલ્યાણકારીરાજ્ય છે. કલ્યાણકારી પગલાં હોવા જોઈએ.