CBI કોર્ટે રામ રહીમને રણજીત સિંહ હત્યાકાંડમાં દોષી કરાર, અન્ય 4 પણ દોષી
હરિયાણાના પંચકુલા ખાતેની વિશેષ CBI કોર્ટે રણજીત સિંહ હત્યા કેસમાં ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમને દોષિત ઠેરવ્યા છે. રામ રહીમ ઉપરાંત કોર્ટે અન્ય ચાર લોકોને પણ દોષિત ઠેરવ્યા છે. રણજીત સિંહ ડેરાનો મેનેજર હતો, જેની ઘણા વ
હરિયાણાના પંચકુલા ખાતેની વિશેષ CBI કોર્ટે રણજીત સિંહ હત્યા કેસમાં ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમને દોષિત ઠેરવ્યા છે. રામ રહીમ ઉપરાંત કોર્ટે અન્ય ચાર લોકોને પણ દોષિત ઠેરવ્યા છે. રણજીત સિંહ ડેરાનો મેનેજર હતો, જેની ઘણા વર્ષો પહેલા હત્યા કરવામાં આવી હતી. આ મામલો CBI ને સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં CBI દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ કેસની સુનાવણી આ વર્ષે ઘણી વખત મુલતવી રાખવામાં આવી હતી. આખરે રણજીત સિંહ હત્યા કેસમાં કોર્ટે રામ રહીમને દોષિત ઠેરવ્યો. હવે સજાની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે.

રણજીત સિંહની 2002 માં હત્યા કરવામાં આવી હતી
સીબીઆઈ તપાસ અનુસાર, ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ આ કેસમાં મુખ્ય ગુનેગાર છે. ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યા રામ રહીમે કરી હતી. વર્ષ 2002 માં તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. પુરાવા એકઠા કરીને રામ રહીમ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી. જે બાદ મામલો CBI ની વિશેષ અદાલતમાં પહોંચ્યો.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર કરાયા હતા
રામ રહીમ પર આ હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો. છેલ્લા દિવસે એટલે કે 18 ઓગસ્ટના રોજ, ફરિયાદીને આ બાબતે પોતાનો પક્ષ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું. રામ રહીમ વિરુદ્ધ ચાલી રહેલા કેસ ઓગસ્ટના બીજા સપ્તાહમાં CBI ના જજ ડો.સુશીલ કુમાર ગર્ગની કોર્ટમાં ચર્ચામાં આવ્યા હતા. જ્યાં બચાવની અંતિમ દલીલો પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ રામ રહીમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર કરવામાં આવ્યો હતો.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
