કોર્ટે કહ્યું કોયલા કૌભાંડમાં મનમોહન સિંહ છે આરોપી
કોયાલા કૌભાંડની તપાસ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સુધી પહોંચી ગઇ છે. દિલ્હીની પટિયાલા કોર્ટે કોયલા કૌભાંડમાં મનમોહન સિંહને આરોપી બનાવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં મનમોહન સિંહને એક આરોપી તરીકે કોર્ટે સમન્સ મોકલાયો છે.

વળી કોર્ટે કોયલા કૌભાંડમાં સીબીઆઇના ક્લોઝર રિપોર્ટને પણ નામંજૂર કર્યો છે. અને તમામ આરોપીઓને 8 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે. જે મુજબ પૂર્વ કોયલા સચિવ પીસી પારેખ, અદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા સહિત અન્ય ત્રણ લોકોને સમન્સ જાહેર કરવામાં આવી છે.
કોર્ટના તમામ આરોપીઓને અપરાધિક ષડયંત્ર મુજબ સમન્સ મોકલાયો છે. નોંધનીય છે કે બિરલાએ 7 મે 2005 અને 17 જૂન 2005માં પીએમઓને પત્ર લખી તાલાબીરા 2ની કોયલા ખાણને હિંડાલ્કોને આપવાની અપીલ કરી હતી.
સીબીઆઇએ આ મામલે એસ જયરામની ગવાહી પણ રજૂ કરી દીધી છે.
જો કે ક્રોંગ્રેસ નેતા મનીષ તિવારીએ ક્રોંગ્રેસના બચાવમાં સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે ક્રોંગ્રેસે એવું કશું જ નથી કર્યું.












Click it and Unblock the Notifications
