CBI ડાયરેક્ટર પદેથી હટાવાયા બાદ આલોક વર્માએ તોડ્યુ મૌન, આપ્યુ મોટુ નિવેદન
સીબીઆઈ ચીફના પદેથી હટાવાયા બાદ આલોક વર્માએ પોતાનું મૌન તોડ્યુ છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જે રીતે સીબીઆઈના ચીફ પદ પર આલોક વર્માને પુનર્સ્થાપિત કરવામાં આવ્યા હતા તે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ તેમને ફરીથી તેમના પદેથી હટાવી દીધા. સીબીઆઈ ચીફના પદેથી હટાવાયા બાદ પોતાનું મૌન તોડતા આલોક વર્માએ કહ્યુ કે જ્યારે સીબીઆઈની ગરિમા બરબાદ કરવામાં આવી રહી હતી તો મે તેને જાળવી રાખવાની કોશિશ કરી હતી. સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટરનું નામ લીધા વિના આલોક વર્માએ કહ્યુ કે આ નિરાશાજનક છે કે માત્ર એક વ્યક્તિ દ્વારા મારા પર લગાવાયેલા નિરાધાર આરોપોના કારણે મારી ટ્રાન્સફર કરવામાં આવી છે.

સીબીઆઈના સાર્વભૌમત્વ અને સમ્માન માટે કામ કર્યુ
આલોક વર્માએ કહ્યુ કે સીબીઆઈ મુખ્ય તપાસ એજન્સી છે જે હાઈ પ્રોફાઈલ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલ કેસોની તપાસ કરે છે, એવામાં તેનુ સાર્વભોમત્વ અને સ્વતંત્રતાની રક્ષા થવી જોઈએ. તેને બહારના કોઈ દબાણ કે પ્રભાવ વિના કામ કરવુ જોઈએ. જ્યારે સંસ્થાને બરબાદ કરવામાં આવી રહી હતી તો મે તેના સ્વાભિમાનને જાળવી રાખવાની કોશિશ કરી હતી. મે સંસ્થાના સમ્માન માટે હંમેશા કામ કર્યુ અને જો ફરીથી જવાબદારી આપવામાં આવશે તો હુ કાયદાનું રાજ સ્થાપિત કરીશ.

સમિતિએ હટાવ્યા હતા
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય તપાસ એજન્સીના પ્રમુખ આલોક વર્માને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે અને જસ્ટીસ એ કે સિકરીની સભ્યતાવાળી સિલેક્શન પેનલે પદ પરથી હટાવ્યા છે. પીએમ મોદીના નિવાસ પર લગભગ અઢી કલાક સુધી ચાલેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે મંગળવારે જ આલોક વર્માને તેમના પદ પર પુનર્સ્થાપિત કર્યા હતા. જેમને સરકારે લગભગ અઢી મહિના પહેલા જબરદસ્તી રજા પર મોકલી દેવામાં આવ્યા હતા.

લીધા હતા ઘણા મહત્વના ચુકાદા
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સીબીઆઈ નિર્દેશકનો પદભાર ગ્રહણ કરતા જ આલોક વર્માએ ધનાધન નિર્ણયો લીધા હતા. તેમણે એમ નાગેશ્વરરાવના નિર્દેશક રહેતા વર્માના ઘણા નજીકના અધિકારીઓની ટ્રાન્સફરના આદેશને વર્માએ રદ કરી દીધા છે. વર્માએ જેડી ભટનાગર, ડીઆઈજી એમ કે સિન્હા, ડીઆઈજી તરુણ ગૌબા, જેડી મુરુગેશન અને એડી એ કે શર્માની ટ્રાન્સફર કરી દીધી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
