CBIએ TMCના ત્રણ સાંસદો પર કેસ ચલાવવા માટે ઓમ બિરલાની મંજૂરી માંગી
CBIએ TMCના ત્રણ સાંસદો પર કેસ ચલાવવા માટે ઓમ બિરલાની મંજૂરી માંગી
નવી દિલ્હીઃ સીબીઆઈએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાપાસે નારદ સ્ટિંગ મામલામાં ત્રણ સાંસદો અને એક પૂર્વ સાંસદ વિરુદ્ધ ફરિયાદની મંજૂરી માંગી છે. જ્યારે સીબીઆઈ સૂત્રોનું કહેવું છે કે આ મામલે હજુ સુધી મંજૂરી મળી નથી. મંજૂરી મળ્યા બાદ પહેલાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. એજન્સીએ જે તૃણમૂલ કોંગ્રેસના ત્રણ સાંસદો વિરુદ્ધ કેસ ચલાવવા માંગે છે તે સૌગત રૉય, કાકોલી ઘોષ અને પ્રસૂન બેનરજી છે.

ગુરુવારે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પાસે તૃણમૂલ કોંગ્રેસના ત્રણ સાંસદ સૌગત રાય, પ્રસૂન બેનરજી, કાકોલી ઘોષ અને ટીએમસીના જ પૂર્વ સાંસદ સુવેંદુ અધિકારી વિરુદ્ધ ફરિયાદની સ્વીકૃતિ માંગી છે. એજન્સીએ લોકસભા અધ્યક્ષને અનુોધ કર્યો છે કે તેઓ આ નેતાઓ વિરુદ્ધ કેસ ચલાવવા માટે મંજૂરી આપે.
સૂત્રોએ કહ્યું કે જો મંજૂરી આપી દેવામાં આવે છે તો ચારેય નેતાઓના નામ એજન્સી દ્વારા આરોપ પત્રમાં રાખવામાં આવી શકે છે. 48 વર્ષીય સુવેંદુ અધિકારી પશ્ચિમ બંગાળમાં તામલુક લોકસભા ક્ષેત્રના પૂર્વ સાંસદ છે અને હાલ તેઓ રાજ્ય સરકારમાં પરિવહન મંત્રી છે. 73 વર્ષીય રૉય દમ દમથી સાંસદ છે જ્યારે ઘોષ બારાસાત ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રસૂન બેનરજી (64) હાવડાથી સાંસદ છે. અગાઉ નારદ સ્ટિંગ મામલાની તપાસના સિલસિલામાં સીબીઆઈએ બુધવારે ભારતીય જનતા પાર્ટીના નેતા મુકુલ રૉયની પણ પુછપરછ કરી હતી.
નારદ ન્યૂજ પોર્ટલના સંપાદક અને પ્રબંધ નિદેશક સૈમુએલે 2016માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની ઠીક પહેલા એક સ્ટિંગ વીડિયો પ્રસારિત કર્યો હતો. જેમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદો, મંત્રિઓ અને કોલકાતા નગર-નિગમના મેયરને કામ કરાવવાના અવેજમાં પૈસા લેતા દેખાડવામાં ાવ્યા હતા. તે સમયે મુકુલ રૉય તૃણમૂલ કોંગ્રેસનો જ ભાગ હતા. આ મામલે કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈને તપાસ સોંપવામાં આવી હતી.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?







Click it and Unblock the Notifications
