ગુરુ ગાયબ થયા ત્યારે હું વિદેશમાં હતોઃ રામદેવ

યોગગુરુ બાબા રામદેવના ગુરુ શંકરદેવ ગાયબ થવાના મામલાની તપાસ હવે સીબીઆઇ કરશેશ શંકરદેવ જૂલાઇ 2007માં રહસ્યમય સ્થિતિમાં સવારે ફરવા ગયા ત્યારે ગાયબ થઇ ગયા હતા. 14 જૂલાઇ 2007એ 80 વર્ષિય સ્વામી શંકરદેવ હરિદ્વારના કનખલ સ્થિત આશ્રમ નજીક ગાયબ થયા હતા.
હરિદ્વાર પોલીસ ઘણા વર્ષોથી તેમની શોધખોળ કરી રહી હતી પરંતુ કોઇ બાતમી નહીં મળતા આખરે તેમણે શંકરદેવના ગાયબ થવાની ફાઇલ બંધ કરી દીધી હતી. જો કે, ગત વર્ષે ઉત્તરાખંડ સરકારે શંકરદેવ ગાયબ થવાની તપાસ સીબીઆઇને સોંપવાની ભલામણ કરી હતી, હવે આ કેસની તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવતા ફરીથી આ કેસને પ્રકાશમાં આવી ગયો છે.












Click it and Unblock the Notifications
