CBI vs CBI: સુપ્રીમ કોર્ટના ફેસલા પર બોલ્યા પ્રશાંત ભૂષણ, આ આલોક વર્માની અધૂરી જીત
CBI vs CBI: પ્રશાંત ભૂષણ બોલ્યા- આલોક વર્માની અધૂરી જીત
નવી દિલ્હીઃ આલોક વર્માને રજા પર મોકલવાના કેન્દ્રના ફેસલાને સુપ્રીમ કોર્ટે પલટાવી દીધો. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે આલોક વર્મા કોઈ નીતિગત ફેસલો નહિ મેળવે. સમગ્ર મામલા પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે પસંદગી સમિતિ તથ્યોના આધારે આના પર વિચાર કરે. કોર્ટના ફેસલા બાદ વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે આલોક વર્માને પૂરી તાકાત સાથે સીબીઆઈ ચીફના પદ પર વાપસ લાવવા જોઈતા હતા.

પ્રશાંત ભૂષણ બોલ્યા
પ્રશાંત ભૂષણે કહ્યું, સુપ્રીમ કોર્ટે સરકારને રજા પર મોકલવાના ફેસલાને અસંવૈધાનિક ગણાવ્યો છે. કોર્ટે કહ્યું કે કેન્દ્રએ આ ફેસલો લેતા પહેલા સિલેક્ટ કમિટી, સીજેઆઈ, પ્રધાનમંત્રી અને વિપક્ષના નેતાની સહમતી લેવી જોઈતી હતી.

કોર્ટનો ફેસલો
પ્રશાંત ભૂષણે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે તેઓ પાવરલેસ રહેશે. તેઓ કોઈ નીતિગત ફેસલો નહિ લઈ શકે, આ તેમની અધૂરી જીત છે. વરિષ્ઠ વકીલે જણાવ્યું કે કોર્ટે પીએમ, વિપક્ષના નેતા અને સીજેઆઈ વાળી ઉચ્ચ સ્તરીય કમિટીની પાસે આ મામલો મોકલવા કહ્યું છે જે એક અઠવાડિયાની અંદર આ કેસ પર ફેસલો લેશે.

સીબીઆઈ ચીફના પદ પર આલોક વર્માની વાપસી
અગાઉ સુપ્રીમ કોર્ટનો ફેસલો આવ્યા બાદ આલોક વર્માના વકીલે કહ્યું કે આ એક સંસ્થાની જીત છે, દેશમાં ન્યાયની પ્રક્રિયા સારી ચાલી રહી છે. ન્યાય પ્રક્રિયા વિરુદ્ધ કોઈ જાય છે તો સુપ્રીમ કોર્ટ તેમના માટે દરેક સમયે હાજર છે. સીબીઆઈ વિવાદ પર કોર્ટના ફેસલા બાદ આલોક વર્માની સીબીઆઈ ચીફના પદ પર વાપસી થઈ ગઈ છે. પરંતુ હજુ તેઓ કોઈ નીતિગત ફેસલો નહિં લઈ શકે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
