Demonetisation: નોટબંધીનો નિર્ણય કેમ લેવામાં આવ્યો હતો? સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યો જવાબ
કેન્દ્ર સરકારે નોટબંધી પર પોતાનો જવાબ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે. જાણો શું કહ્યુ.
Demonetisation: કેન્દ્ર સરકારે નોટબંધી પર પોતાનો જવાબ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે. બુધવારે કેન્દ્ર સરકારે SCમાં જણાવ્યુ કે 8 નવેમ્બર, 2016ના રોજ 500 રુપિયા અને 1000 રુપિયાની નોટો પાછી લેવાનો આદેશ એક આર્થિક નીતિ હેઠળનો નિર્ણય હતો જે આરબીઆઈ સાથે ચર્ચા-વિચારણ કરીને લેવામાં આવ્યો હતો અને તે નકલી નોટ, આતંકવાદને આર્થિક મદદ, કાળુ નાણુ અને કર ચોરી જેવી સમસ્યાઓને ઉકેલવા માટેની રણનીતિનો હિસ્સો હતો.

કેન્દ્રએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યુ કે રૂ. 500 અને રૂ. 1,000ની નોટોને બંધ કરવાનો નિર્ણય ભારતીય રિઝર્વ બેન્ક સાથે વ્યાપક ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો અને નોટબંધી પહેલા તેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. નોટબંધીના નિર્ણયને પડકારતી અરજીઓના જવાબમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ હતુ કે નોટબંધી એ મોટી વ્યૂહરચનાનો એક ભાગ છે અને નકલી ચલણ, ટેરર ફાયનાન્સ, કાળુ નાણુ અને કરચોરીની સમસ્યાઓનો સામનો કરવા માટે અસરકારક પગલાં હતા પરંતુ તે માત્ર આટલા સુધી સીમિત ન હતુ. પરિવર્તનકારી આર્થિક નીતિના પગલાઓની શ્રેણીમાં આ એક મહત્વપૂર્ણ પગલુ હતુ.
કેન્દ્રએ કહ્યુ કે નોટબંધીનો નિર્ણય રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ ઑફ ડિરેક્ટર્સની વિશેષ ભલામણ પર લેવામાં આવ્યો હતો અને આરબીઆઈએ તેના અમલીકરણ માટે ડ્રાફ્ટ પ્લાનનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. આ મામલાની સુનાવણી પાંચ જજોની બંધારણીય બેંચ કરી રહી છે અને હવે આગામી સુનાવણી 24 નવેમ્બરે થશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
