આરોગ્યકર્મીઓ પર હુમલો કરનારાઓ માટે કેન્દ્ર સરકાર લાવી વટહુકમ, 7 વર્ષની સજા
કેન્દ્ર સરકાર આરોગ્યકર્મીઓ પર હુમલા રોકવાના ઉદ્દેશથી વટહુકમ લઈને આવી છે.
કેન્દ્ર સરકાર આરોગ્યકર્મીઓ પર હુમલા રોકવાના ઉદ્દેશથી વટહુકમ લઈને આવી છે. વટુકમમાં આરોગ્યકર્મી પર હુમલાના દોષી સાબિત થનારને 6 મહિનાથી 7 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. સાથે જ 1 લાખથી 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે મેડીકલ સ્ટાફ વિરુદ્ધ થતા હુમલાઓ અને ઉત્પીડનને બિલકુલ સહન કરવામાં નહી આવે. આને રોકવા માટે સરકાર આ વટહુકમ લઈને આવી છે.

મેડીકલ સ્ટાફ પર હુમલા રોકવાનો વટહુકમ
જાવડેકરે કહ્યુ કે આરોગ્યકર્મીઓની સુરક્ષા અને તેમના સંરક્ષણ આપવા માટે આ અધ્યાદેશ લાવવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ ત્વરિત પ્રભાવથી લાગુ થઈ જશે. વટહુકમમાં જે જોગવાઈ છે તે મુજબ મેડીકલ સ્ટાફ ટીમ પર હુમલો કરવા પર 3 મહિનાથી 5 વર્ષ સુધીની સજા અને 50,000થી 2 લાખ રૂપિયા સુધીનો દંડ થશે. જો ગંભીર નુકશાન થયુ હશે તો 6 મહિનાથી 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ અને દંડ 1 લાખથી 5 લાખ રૂપિયા છે.

ક્લીનીકને નુકશાન પર થશે વસૂલી
જાવડેકરે જણાવ્યુ કે મહામારી રોગ અધિનિયમ, 1897માં સુધારો કરીને વટહુકમ લાવવામાં આવશે. આવો ગુનો હવે સંજ્ઞેય અને બિન જમીનપાત્ર હશે. વળી જો આરોગ્યકર્મીના વાહનો કે ક્લીનિકને નુકશાન પહોંચાડ્યુ તો આવુ કરનાર પાસેથી ક્ષતિગ્રસ્ત કરેલી સંપત્તિના બજાર મૂલ્યથી બમણા ભાવ વળતર તરીકે વસૂલવામાં આવશે. જાવડેકરે આરોગ્યકર્મીઓ માટે 50 હજારના વીમાની પણ ઘોષણા કરી છે. સાથે જ તેમણે જણાવ્યુ કે સરકારે 1.88 કરોડ રકમની પીપીઈની પણ ઑર્ડર કરવામાં આવી છે.

મેડીકલ ટીમ પર સતત થયા છે હુમલા
આ ઉપરાંત પ્રકાશ જાવડેકરે માહિતી આપી છે કે હેલ્થ બ્રીફિંગ હવે રોજ નહિ પરંતુ અઠવાડિયામાં 4 દિવસ થશે. પ્રેસ રિલીઝ અને કેબિનેટ બ્રીફિંગ વૈકલ્પિક દિવસે કરવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યુ કે ફ્લાઈટ ક્યારે શરૂ થશે એ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં ખાસ કરીને કોરોના વાયરસના કેસ સામે આવ્યા બાદ આરોગ્યકર્મીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી વાર તેમના પર હુમલા થયા છે. વળી તેમના પડોશીઓ અને મકાન માલિકોએ પણ હેરાન કર્યા છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ








Click it and Unblock the Notifications
