છત્તીસગઢ: દંતેવાડામાં નક્સલીઓએ ખાનગી વાહનને બનાવ્યું નિશાનો, IED બ્લાસ્ટમાં 11 ઘાયલ, 1નું મોત
છત્તીસગઢમાં નક્સલવાદીઓનો આતંક સતત વધી રહ્યો છે. ગુરુવારે સવારે નક્સલ પ્રભાવિત દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED બ્લાસ્ટમાં 12 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ઘટના અંગે માહિત
છત્તીસગઢમાં નક્સલવાદીઓનો આતંક સતત વધી રહ્યો છે. ગુરુવારે સવારે નક્સલ પ્રભાવિત દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED બ્લાસ્ટમાં 12 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ઘટના અંગે માહિતી આપતા દાંતેવાડાના એસપી અભિષેક પલ્લવે જણાવ્યું હતું કે જિલ્લાના ઘોટીયામાં માઓવાદીઓ દ્વારા લેન્ડમાઇન વિસ્ફોટ કરીને ખાનગી વાહનને ઉડાવી દેવામાં આવ્યું હતું. આ હુમલો સવારે 7.30 વાગ્યે થયો હતો.

અભિષેક પલ્લવે વધુમાં માહિતી આપી હતી કે માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને બચાવવા અને તેમને હોસ્પિટલમાં લઈ જવા માટે દાંતેવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ હુમલામાં ઘાયલ એક વ્યક્તિનું મોત થયું છે. પલ્લવે વધુમાં માહિતી આપી હતી કે ઘાયલોમાંથી બેની હાલત હજુ પણ નાજુક છે, જ્યારે નાની -મોટી ઈજાગ્રસ્ત ગ્રામજનોને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કેસ નોંધાયા બાદ દંતેવાડા પોલીસે આ વિસ્તારમાં નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે.
"At least 12 persons were injured in an IED blast by Maoists at Ghotiya at around 7.30 am. Dantewada police reached the spot to rescued & shift the injured to the hospital," says Dantewada SP Abhishek Pallav#Chhattisgarh
— ANI (@ANI) August 5, 2021
તમને જણાવી દઈએ કે ગયા મહિને જુલાઈના અંતમાં રવિવારે સવારે સુકમા જિલ્લાના મિન્પા અને પાડીગુડાના જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. સુકમાના એસપી સુનીલ શર્માએ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી હતી. મળતી માહિતી મુજબ, રવિવારે સવારે ચિંતાગુફા પોલીસ સ્ટેશન વિસ્તારના દામગુડામાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટરમાં બે નક્સલવાદી માર્યા ગયા હતા, જ્યારે ઘણા વધુ નક્સલવાદીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
