રેકોર્ડ ટાઈમમાં નિર્ભયા કેસ ઉકેલનાર IPSને અમેરિકાએ આપ્યુ મોટુ સમ્માન
રેકોર્ડ ટાઈમમાં આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેનાર છાયા શર્માને એરિજોના સ્ટેટ યુનિવર્સિટી દ્વારા 2019ના મેક્કેન ઈન્સ્ટીટ્યુટ ફોર ઈન્ટરનેશનલ લીડરશીપ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા.
16 ડિસેમ્બર 2012, ભારતીય ઈતિહાસમાં નોંધાયેલ એ કાળુ પાનુ જેણે આખા સમાજને ઝંઝોળીને રાખી દીધો હતો. અમે વાત કરી રહ્યા છે નિર્ભયા ગેંગરેપ હત્યાકાંડની જેની તપાસમાં મહત્વની ભૂમિકા નિભાવનાર IPS અધિકારી છાયા શર્માને હવે અમેરિકામાં સમ્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ સમ્માન સાહસિક લીડરશીપ સાથે જોડાયેલા કાર્યો માટે આપવામાં આવ્યુ છે. રેકોર્ડ ટાઈમમાં આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેનાર છાયા શર્માને એરિજોના સ્ટેટ યુનિવર્સિટીએ 2019ના મેક્કેન ઈન્સ્ટીટ્યુટ ફોર ઈન્ટરનેશનલ લીડરશીપ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે સાહસિક લીડરશિપ સાથે જોડાયેલા કાર્યો માટે અપાતો આ એવોર્ડ પાકિસ્તાનની માનવાધિકાર કાર્યકર્તા મલાલા યૂસુફને પણ આપવામાં આવી ચૂક્યો છે જેને 2015નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવી ચૂક્યો છે.

આ કેસને એક પુરુષ ડીસીપી સંભાળતા કંઈ અલગ હોત
છાયા શર્માએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ, ‘મને ખબર નથી કે જો આ કેસને એક પુરુષ ડીસીપી સંભાળતા તો તે કંઈ અલગ હોત. હું આના પર કંઈ ન કહી શકુ. આ તેમની સંવેદનશીલતા પર નિર્ભર કરે છે, ભલે તે પુરુષ હોય કે મહિલા.' આઈપીએસ છાયા શર્માએ વર્ષ 2012માં થયેલા ‘નિર્ભયા ગેંગરેપ કેસ' ને રેકોર્ડ ટાઈમમાં ઉકેલી દીધો હતો. માત્ર 5 દિવસની અંદર બધા આરોપી પોલિસની કસ્ટડીમાં હતા. તે સમયે તે દક્ષિણી દિલ્લીના ડીસીપી હતા. ઉલ્લેખનીય છે કે તમે થોડા દિવસો અગાઉ છાયા શર્માની ભૂમિકાને નેટફ્લિક્સની ચર્ચિત વેબ સીરિઝ ‘દિલ્લી ક્રાઈમ'માં જોઈ છે. આ સીરિઝમાં અભિનેત્રી શેફાલી શાહે છાયાની ભૂમિકા નિભાવી છે.
|
તપાસ દરમિયાન 6 દિવસ સુધી ઘરે નહોતા ગયા છાયા શર્મા
છાયાની ટીમ મુજબ કેસની તપાસ દરમિયાન ના છાયા પોતે અને ના તેમની ટીમના કોઈ પણ સભ્ય ઘરે ગયા હતા. ઘર ન જવાનો આ સિલસિલો છ દિવસો સુધી ચાલતો રહ્યો જ્યાં સુધી બધા આરોપીઓ પકડાઈ ન ગયા. છાયા કહે છે, ‘એક મહિલા હોવાના કારણે આ કેસમાં મારા પર લોકોએ ભરોસો કર્યો. જ્યારે આ બળાત્કાર થયો તો એવુ લાગ્યુ કે મારી અંદર પણ કંઈ ઘટિત થયુ છે. પીડિતાની સ્થિતિ એકદમ ખરાબ હતી અને તેને જોઈને હું અંદરથી વિચલિત થઈ ગઈ હતી. લોકો પીડિતાની સ્થિતિ વિશે અલગ અલગ વાતો કરી રહ્યા હતા.' બળાત્કારને ભયંકર રીતે અંજામ આપવામાં આવ્યો હતો. સળિયાથી પણ હુમલો કરવામાં આવ્યો. આના કારણે પરિસ્થિતિ વધુ બગડી ગઈ હતી કારણકે અંદરની ઈજાઓ ખૂબ જ ભયાનક હતી. ડૉક્ટરોએ જે ઈજાઓ વિશે જણાવ્યુ છે તેને સાંભળ્યા બાદ શ્વાસ થંભી ગયા હતા.

ઘટનાક્રમ પર એક નજર
16 ડિસેમ્બર, દિલ્લીમાં એક હ્રદય કંપાવી દે તેવી ઘટના બની હતી. ચાલતી બસમાં એક છોકરી સાથે બર્બરતાથી રેપ કરવામાં આવ્યો હતો. ગેંગરેપ બાદ નિર્ભયા 13 દિવસો સુધી હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી રહી અને છેવટે 29 ડિસેમ્બરના રોજ સિંગાપોરની હોસ્પિટલમાં તેણે દમ તોડી હતો. રાયસીના હિલ્સરોડ પર તો દિલ્લી પોલિસે આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કરી દીધો હતો. મુખ્ય આરોપી રામ સિંહે તિહાડ જેલમાં આત્મહત્યા કરી લીધી. વિશેષ રીતે ગઠિત ત્વરિત અદાલતે 12 સપ્ટેમ્બર 2013ના રોજ ચાર દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી જ્યારે એક આરોપીને સ્કૂલી પ્રમાણપત્રના આધારે સગીર માનીને ત્રણ વર્ષ કિશોર સુધાર ગૃહમાં રહેવાની સજા આપવામાં આવી. તે હવે મુક્ત થઈ ચૂક્યો છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
