'ચિદમ્બરમ જી! આખો દેશ મૂર્ખ છે, માત્ર આપ જ હોશિયાર છો'

જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે નાણામંત્રી પી. ચિદમ્બરમે દરોડાને ખોટા ગણાવ્યા છે. વાહ શું વાત છે. પોતે જ દરોડા પડાવ્યા અને પોતે જ તેને ખોટા ગણાવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે આપને શું લાગે છે આખો દેશ મૂર્ખ છે, માત્ર તમે એકલા જ હોશિયાર છો.
આ સીબીઆઇના દરોડા અંગે ભાજપનું કહેવું છે કે સરકારના સમર્થકો માટે આ સંદેશ છે કે સરકારની સાથે રહેશો તો મજા કરશો નહી તો દરવાજા પર સીબીઆઇ ઉભી હશે. બીજેપી નેતા શાહનવાજ હુસૈને જણાવ્યું કે આ સંદેશ માત્ર ડીએમકે માટે નહી પરંતુ બધા જ સમર્થકો માટે છે. કોંગ્રેસ બહુમત મેળવવા માટે સીબીઆઇનો ઉપયોગ કરી રહી છે.












Click it and Unblock the Notifications
