અફઘાનિસ્તાનના નાગરિક ભારતના વિઝા માટે કરી શકે છે એપ્લાય, ધર્મના આધારે પ્રાથમિકતા નહી
અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળ્યા બાદ સામાન્ય લોકોમાં ગભરાટનું વાતાવરણ છે. મોટી સંખ્યામાં લોકો અફઘાનિસ્તાન છોડીને બીજા દેશમાં શરણ લેવા માગે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા નવા ઈલેક્ટ્રોનિક વિઝા
અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળ્યા બાદ સામાન્ય લોકોમાં ગભરાટનું વાતાવરણ છે. મોટી સંખ્યામાં લોકો અફઘાનિસ્તાન છોડીને બીજા દેશમાં શરણ લેવા માગે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા નવા ઈલેક્ટ્રોનિક વિઝા રજૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત કોઈ એક ધર્મને પ્રાધાન્ય આપવામાં આવશે નહીં. અફઘાનિસ્તાનના કોઈપણ ધર્મના લોકો ભારતમાં આવવા માટે વિઝાની આ શ્રેણી હેઠળ અરજી કરી શકશે.

ગૃહ મંત્રાલયે માહિતી આપી
ગૃહ મંત્રાલય વતી મંગળવારે કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે વિઝા અરજીઓ પર ઝડપી નિર્ણય લેવા માટે 'ઇ-ઈમરજન્સી અને અન્ય વિઝા' ની નવી શ્રેણી બનાવી છે. વિઝા જોગવાઈઓની સમીક્ષા કર્યા પછી. હવે કોઈ પણ ધર્મના અફઘાન નાગરિકો 'ઈ-ઈમરજન્સી અને અન્ય વિઝા' માટે ઓનલાઈન અરજી કરી શકે છે. વિઝા અરજીઓની પ્રક્રિયા કરતી વખતે અને અફઘાન નાગરિકોને વિઝા આપતી વખતે સુરક્ષા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે. શરૂઆતમાં વિઝા છ મહિનાના સમયગાળા માટે આપવામાં આવશે.

હિન્દુઓ અને શિખોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા પર ભારતે કહી આ વાત
ભારતે અફઘાનિસ્તાનમાંથી હિન્દુઓ અને શીખોને બહાર કાઢવાની વાત પણ કરી છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે કહ્યું કે વિદેશ મંત્રાલય અને અન્ય વિભાગો અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુઓ અને શીખોને બહાર કાવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરશે. ભારત સહિત ઘણા દેશો અફઘાનિસ્તાનમાં પોતાના દૂતાવાસ ખાલી કરી રહ્યા છે. મંગળવારે જ ભારતીય વાયુસેનાનું એક વિમાન 20 ભારતીય અધિકારીઓને લઈને ગુજરાત પહોંચ્યું છે.

અફઘાનિસ્તાનમાં લોકો ભયની છાયામાં છે
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીને પણ દેશ છોડીને જવાની ફરજ પડી છે અને તાલિબાનોએ રાજધાની કાબુલ પર કબ્જો કર્યા બાદ લોકોને ભાગી જવાની ફરજ પડી છે. સ્થિતિ એટલી ખરાબ છે કે સોમવારે યુએસ એરફોર્સના વિમાનમાં પ્રવેશતા જ ભાગદોડમાં 7 લોકોના મોત થયા હતા. સોશિયલ મીડિયા પર લોકો પ્લેનમાંથી નીચે પડતા પણ જોવા મળ્યા હતા.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર






Click it and Unblock the Notifications
