For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિલૉન્ગથી ભાજપ ઉમેદવારની ધમકીઃ જો સિટીઝનશિપ બિલ પાસ થયુ તો આત્મહત્યા કરી લઈશ

મેઘાલયની શિલૉન્ગ સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સનબોર શુલઈએ એક વિવાદિત નિવેદન આપીને હોબાળો મચાવી દીધો છે.

|
Google Oneindia Gujarati News

મેઘાલયની શિલૉન્ગ સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સનબોર શુલઈએ એક વિવાદિત નિવેદન આપીને હોબાળો મચાવી દીધો છે. તેમણે ગુરુવારે મત આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે જો મેઘાલય સહિત પૂર્વોત્તર રાજ્યોમાં નાગરિકતા (સુધારા) બિલ લાગુ થયુ તો તે નરેન્દ્ર મોદી સામે આત્મહત્યા કરી લેશે કારણકે તેમના જીવતા તો આ બિલ કોઈ પણ સ્થિતિમાં મેઘાલયમાં લાગુ નહિ થાય. હા જો આ દેશના કોઈ બીજા ભાગમાં લાગુ થશે તો તેમને કોઈ વાંધો નથી. ઉલ્લેખનીય છે કે ભાજપે પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં કેન્દ્રની સત્તામાં પાછા આવવા પર નાગરિકતા સુધારા બિલ લાગુ કરવાનું વચન આપ્યુ છે.

bjp

તમને જણાવી દઈએ કે આ એ જ સુનબોર શુલઈ છે જેમણે પીએમ મોદી અને કેન્દ્રીય નેતાઓ અને બિન સરકારી સંગઠનોને એક પત્ર સોંપ્યો હતો કે મેઘાલય અને પૂર્વોત્તર રાજ્યોને નાગરિકતા સુધારા બિલથી છૂટ આપવાની વાત કહેવામાં આવી હતી અને તે ઈચ્છતા હતા કે આ બિલમાં સુધારો થાય.

શું છે નાગરિકતા સુધારા બિલ

નાગરિકતા અધનિયમ, 1955માં સુધારો કરવા માટે લોકસભામાં નાગરિકતા બિલ લાવવામાં આવ્યુ હતુ. આ બિલ દ્વારા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી સમાજો - હિંદુઓ, શીખો, બૌદ્ધો, જૈન, પારસીઓ અને ઈસાઈઓને સમુચિત દસ્તાવેજો વિના ભારતીય નાગરિકતા આપવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. આમાં ભારતમાં તેમના નિવાસના સમયને 11 વર્ષના બદલે છ વર્ષ કરવાની જોગવાઈ છે. એટલે કે હવે આ શરણાર્થી 6 વર્ષ બાદ જ ભારતીય નાગરિકતા માટે આવેદન કરી શકે છે. આ બિલ હેઠળ સરકાર ગેરકાયદેસર પ્રવાસીઓની પરિભાષા બદલવાના પ્રયાસમાં છે. ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં આનું વચન આપ્યુ હતુ. મોદી સરકાર બન્યા બાદ આ બિલ 2016માં સંસદમાં પહેલી વાર રજૂ કરવામાં આવ્યુ હતુ પરંતુ સરકારનું કહેવુ છે કે આને ફરીથી તૈયાર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ લગ્નનું વચન આપીને યૌન સંબંધો બાંધવા બળાત્કારઃ સુપ્રીમ કોર્ટઆ પણ વાંચોઃ લગ્નનું વચન આપીને યૌન સંબંધો બાંધવા બળાત્કારઃ સુપ્રીમ કોર્ટ

English summary
Sanbor Shullai, BJP candidate from Shillong parliamentary seat: As long as I'm alive Citizenship Amendment Bill (CAB) will not be implemented. I will kill myself, I will suicide before Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X