CM કેજરીવાલની દીકરી સાથે ઑનલાઈન ફ્રૉડ, OLX પર વેચી રહી હતી સોફા
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતા સાથે રૂ.34,000ની છેતરપિંડી કરવામાં આવી છે.
નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતા સાથે રૂ.34,000ની છેતરપિંડી કરવામાં આવી છે. તે ઑનલાઈન ફ્રૉડનો શિકાર બની છે. સીએમ કેજરીવાલની દીકરી એક જૂનો સોફા ઑલાઈન વેચી રહી હતી ત્યારે ઠગે તેની સાથે 34,000 રૂપિયાની છેતરપિંડી કરી. હર્ષિતા OLX પર સોફા વેચવા માંગતી હતી. એક વ્યક્તિએ સોફા ખરીદવા માટે અપ્રોચ કર્યુ. ડીલ નક્કી થયા બાદ એ વ્યક્તિએ સીએમની દીકરીને એક QR કોડ મોકલ્યો અને તેને સ્કેન કરવા માટે કહ્યુ. ત્યારબાદ અરવિંદ કેજરીવાલની દીકરીના અકાઉન્ટથી 34,000 રૂપિયા ડેબિટ થઈ ગયા.

વાસ્તવમાં, ઠગે પોતાને તે સોફાના કસ્ટમર તરીકે રજૂ કર્યો. તેણે સૌથી પહેલા સીએમની દીકરીનો વિશ્વાસ જીતવા માટે તેના અકાઉન્ટમાં અમુક પૈસા મોકલ્યા. ત્યારબાદ તેણે સીએમની દીકરીને એક બાર કોડ સ્કેન કરવા માટે કહ્યુ. આ વખતે સ્કેન કરતા જ તેના અકાઉન્ટમાંથી એક વારમાં 20 હજાર રૂપિયા અને ત્યારબાદ 14 હજાર રૂપિયા ડેબિટ થઈ ગયા. સીએમ કેજરીવાલની દીકરી સામે એક વ્યક્તિએ ખુદને ગ્રાહક બતાવીને રજૂ કર્યો. અને પોતાના ખાતમાંથી અમુક રકમ મોકલ્યા બાદ એક વાર કોડ સ્કેન કરવા માટે કહ્યુ.
હર્ષિતાએ જેવો બાર કોડ સ્કેન કર્યો તેના ખાતામાંથી બે વારમાં પૈસા નીકળી ગયા. પહેલા 20,000 રૂપિયા અને પછી 14,000 રૂપિયા સીએમની દીકરીના અકાઉન્ટમાંથી જતા રહ્યા. આ અંગે સિવિલ લાઈન્સ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. દિલ્લી પોલિસ અધિકારીએ કહ્યુ કે ફરિયાદ મળ્યા બાદ આઈપીસીની કલમો હેઠળ સિવિલ લાઈન્સ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલિસે જણાવ્યુ કે એફઆઈઆરના આધારે તપાસ કરવામાં આવી રહી છે અને શંકાસ્પદ વ્યક્તિને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
