CM યોગી દ્વારા નામકરણનો સિલસોલો યથાવત, 'કાકોરી કાંડ' હવે 'ટ્રેન એક્શન ડે' તરીકે ઓળખાશે
સોમવારના રોજ કાકોરીમાં આ પ્રસંગે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાર્તા પઠન, તિરંગા યાત્રા, ફિલ્મ પ્રદર્શન સહિત અન્ય કાર્યક્રમોનું આયોજન કરાયું હતુ.
લખનઉ : ઉત્તર પ્રદેશની યોગી સરકારે 'કાકોરી કાંડ'નું નામ બદલીને 'કાકોરી ટ્રેન એક્શન' કરી દીધું છે. સરકાર માને છે કે 'કાંડ' શબ્દ ભારતના આઝાદીની લડાઇના ભાગરૂપે ઘટનાની અપમાનની ભાવનાને દર્શાવે છે. આ કારણોસર તેનું નામ બદલવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ કાકોરીમાં આ પ્રસંગે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાર્તા પઠન, તિરંગા યાત્રા, ફિલ્મ પ્રદર્શન સહિત અન્ય કાર્યક્રમોનું આયોજન કરાયું હતુ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને અન્ય ઘણા મહેમાનોએ આ પ્રસંગે હાજરી આપી હતી.

UP CM મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દેશને અમૃત મહોત્સવના 'પંચ સૂત્રો' આપ્યા છે
કાકોરી ટ્રેન એક્શન ડેની 97મી વર્ષગાંઠ પર UP CM યોગીએ દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપનારા સેનાનીઓની અમર આત્માઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં સંબોધન કરતા UP CM યોગીએ જણાવ્યું હતું કે, અમૃત મહોત્સવ એટલે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ એટલે કે સ્વતંત્રતાની ઉર્જાનું અમૃત, આઝાદીના લડવૈયાની પ્રેરણાનું અમૃત, નવા વિચારોનું અમૃત, નવા સંકલ્પનું અમૃત, સ્વતંત્રતાનું અમૃત, UP CM મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દેશને અમૃત મહોત્સવના 'પંચ સૂત્રો' આપ્યા છે.
દેશની આ સ્વતંત્રતાને દરેક કિંમતે બચાવવાની જવાબદારી દરેક ભારતીયની છે
UP CM યોગીએ કહ્યું કે, કાકોરી ટ્રેન એક્શન ડેની ઘટનામાં ક્રાંતિકારીઓ દ્વારા માત્ર 4,600 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, પરંતુ અંગ્રેજોએ આ સમગ્ર ઘટના સાથે સંકળાયેલા તમામ ક્રાંતિકારીઓ સામે કાર્યવાહી કરવામાં 10 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. કાકોરી એક્શન ડેની વાર્તા હંમેશા આપણને એ અહેસાસ કરાવે છે કે, દેશની આઝાદીથી વધુ મહત્વનું કશું નથી. કોઈપણ કિંમતે દેશની આ આઝાદીનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે.
જાતિ-ધર્મથી ઉપર ઉઠીને ભારત માત્ર રાષ્ટ્રવાદથી જોડાયેલું છે : UP CM યોગી
UP CM યોગીએ જણાવ્યું કે, 'આત્મનિર્ભર ભારત'ની કલ્પનાને સાકાર કરવા માટે, જો દરેક ભારતીય પોતાની ફરજો નિભાવવાનું શરૂ કરે તો તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ કે, ભારત વિશ્વમાં એક મહાસત્તા તરીકે ઉભરી આવશે. UP CM યોગીએ કહ્યું કે, વિશ્વને એ સમજાવવાની જરૂર છે કે, 136 કરોડની વસ્તી ધરાવતો ભારત કોઈપણ જાતિ, ધર્મ, પ્રદેશ, ભાષા અથવા અન્ય ભેદભાવથી ઉપર છે અને તે માત્ર એક જ ધર્મ સાથે સંકળાયેલો છે અને તે છે આપણો 'રાષ્ટ્રધર્મ'.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે











Click it and Unblock the Notifications
