ઉ. ભારતમાં ઠંડીનું મોઝું, યુપીમાં 26ના મોત

જ્યારે ઉત્તર પ્રદેશમાં કડક ઠંડીના કારણે માત્ર 24 કલાકમાં 26 લોકોના મૃત્યું થઇ ચૂક્યા છે. રાજધાની લખનઉ સહિત રાજ્યના અન્ય શહેરોમાં તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. ઉત્તર પ્રદેશમાં પણ હવાઇ વ્યવહાર અને ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો છે.
અધિકારીક આંકડાઓ અનુસાર રાજ્યમાં ઠંડીના કારણે ગોરખપુરમાં છ, જૌનપુર અને બલિયામાં ચાર-ચાર, મિર્જાપૂરમાં બે તથા આજમગઢ, ભદોહી, ચંદોલી, વારાણસીમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. આ ઉપરાંત રવિવારે મોડીરાત્રે ધુમ્મસના કારણે થયેલા જુદા-જુદા માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે.
યુપીમાં ટેમ્પ્રેચર ઓછામાં ઓછું 10, બિહારમાં 11 અને ગુજરાતમાં 12થી 13 ડિગ્રી સેસ્લીયસ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધવાના કારણે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ઠંડીની લહેર પ્રસરી ગઇ છે.












Click it and Unblock the Notifications
