કાનપુરમાં અભિનેત્રી સ્વરા ભાસ્કર સામે રાજદ્રોહનો કેસ થયો
કાનપુરમાં અભિનેત્રી સ્વરા ભાસ્કર સામે રાજદ્રોહનો કેસ થયો
નવી દિલ્હીઃ જ્વલંત મુદ્દા પર હિંમતથી પોતાનું મંતવ્ય રાખનાર અભિનેત્રી સ્વરા ભાસ્કર માટે મુશ્કેલીઓ વધી ગઈ છે કેમ કે કાનપુરની અદાલતમાં તેમની સામે કેસ થયો છે. વરિષ્ઠ અધિવક્તા વિજય બખ્શીએ કાનપુરના સીએમએમ-7ની કોર્ટમાં સ્વરા ભાસ્કર સામે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો.

સ્વરા ભાસ્કર સામે રાજદ્રોહનો કેસ
વિજય બક્શીએ સ્વરા ભાસ્કર પર સમાજમાં વિદ્વેષ ફેલાવવા, જાતિ-ધર્મ અને સમુદાયોને અલગ કરવાનો આરોપ લગાવ્યો છે, તેમના મુજબ સ્વરા ભાસ્કર ફિલ્મ અભિનેત્રી હોવાની સાથે જ મશહૂર હસ્તી છે પરંતુ પોતાના ભાષણો અને ટ્વીટ દ્વારા સમયે સમયે ભારત સરકાર, ઉચ્ચતમ ન્યાયાલય, સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ટિપ્પણી કરવા અને સમાજમાં ભેદભાવનું કામ કરી રહી છે, તેના ભડકાઉ ભાષણોથી સમાજને ખતરો છે.

સ્વરાએ દિલ્હી હિંસા પર આપ્યું હતું નિવેદન
શખ્સનું કહેવું છે કે દેશની છબી ખરાબ થઈ રહી છે, સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નુકસાન થઈ રહ્યું છે, કોર્ટમાં અરજીની સુનાવણી માટે 20 માર્ચની તારીખ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સ્વરા ભાસ્કરે હાલ નાગરિકતા સંશોધન બિલ અને એનઆરસી વિરુદ્ધ ભારે મોર્ચો ખોલ્યો છે.

સ્વરાને બોલતી બંધ થઈ ગઈ
જ્યારે હાલમાં જ એક મીડિયા હાઉસના કાર્યક્રમમાં સ્વરાને એનઆરસી સાથે જોડાયેલ એક સવાલ પૂછવામાં આવ્યો, ટ્વિટર પર એનઆરસી અને સીએએ વિરુદ્ધ મોર્ચો ખોલીને બેઠેલી સ્વરા ભાસ્કરને જ્યારે પત્રકારે એનઆરસી સાથે જોડાયેલ ડ્રાફ્ટ વિશે પૂછ્યું તો તેમણે વાતનો જવાબ ના આપતાં પત્રકારને ઉલ્ટો સવાલ કરી દીધો કે તમે મને કેમ પૂછી રહ્યા છે? આ મારું કામ નથી.

સ્વરાએ ખુદ નથી વાંચ્યો આખો ડ્રાફ્ટ
જણાવી દઈએ કે એક મીડિયા હાઉસના કાર્યક્રમમાં સ્વરા ભાસ્કરે કહ્યું કે સીએએને લઈ સરકાર સ્પષ્ટ જવાબ નથી આપી રહી માટે મારી જેમ બધા લોકોએ સરકારને વારંવાર સવાલ કરવા પડી રહ્યા છે. સરકારની ખુદની પૂરી તૈયારી નથી પરંતુ જ્યારે સરકારને સવાલ કરવામાં આવ્યો કે શું તેમણે સીએએનો આખો ડ્રાફ્ટ વાંચ્યો તો થોડા સમય માટે તેઓ ચૂપ થઈ ગયાં અને પછી બોલી કે તેના થોડા ભાગને વાંચ્યો છે.

પીએમ અમને નહિ દેશના ગૃહમંત્રીને સમજાવી દે
પરંતુ જે લોકો આસામમાં એનઆરસી લાગૂ થયા બાદ કેમ્પોમાં મરી ગયા શું તેમને પણ પૂછવામાં આવશે કે વાંચ્યુ કે નહિ, આવા પ્રકારના સવાલોથી લોકો ચૂપ થવાના નથી, જ્યારે સ્વરા ભાસ્કરને પૂછવામાં આવ્યું કે જે બાળક પેદા જ નથી થયો તેનું મુંડન કેમ કરાવી રહી છે, આખરે પીએમ કઈ ભાષામાં કહે કે એનઆરસી નથી આવી રહ્યું તો સ્વરાનો જવાબ હતો કે પીએમ અમને નહિ દેશના ગૃહમંત્રીને સમજાવી દે કે એનઆરસી નથી આવી રહ્યું, બધા મામલા શાંત થઈ જશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
