Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કાનપુરમાં અભિનેત્રી સ્વરા ભાસ્કર સામે રાજદ્રોહનો કેસ થયો

કાનપુરમાં અભિનેત્રી સ્વરા ભાસ્કર સામે રાજદ્રોહનો કેસ થયો

નવી દિલ્હીઃ જ્વલંત મુદ્દા પર હિંમતથી પોતાનું મંતવ્ય રાખનાર અભિનેત્રી સ્વરા ભાસ્કર માટે મુશ્કેલીઓ વધી ગઈ છે કેમ કે કાનપુરની અદાલતમાં તેમની સામે કેસ થયો છે. વરિષ્ઠ અધિવક્તા વિજય બખ્શીએ કાનપુરના સીએમએમ-7ની કોર્ટમાં સ્વરા ભાસ્કર સામે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો.

સ્વરા ભાસ્કર સામે રાજદ્રોહનો કેસ

સ્વરા ભાસ્કર સામે રાજદ્રોહનો કેસ

વિજય બક્શીએ સ્વરા ભાસ્કર પર સમાજમાં વિદ્વેષ ફેલાવવા, જાતિ-ધર્મ અને સમુદાયોને અલગ કરવાનો આરોપ લગાવ્યો છે, તેમના મુજબ સ્વરા ભાસ્કર ફિલ્મ અભિનેત્રી હોવાની સાથે જ મશહૂર હસ્તી છે પરંતુ પોતાના ભાષણો અને ટ્વીટ દ્વારા સમયે સમયે ભારત સરકાર, ઉચ્ચતમ ન્યાયાલય, સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ટિપ્પણી કરવા અને સમાજમાં ભેદભાવનું કામ કરી રહી છે, તેના ભડકાઉ ભાષણોથી સમાજને ખતરો છે.

સ્વરાએ દિલ્હી હિંસા પર આપ્યું હતું નિવેદન

સ્વરાએ દિલ્હી હિંસા પર આપ્યું હતું નિવેદન

શખ્સનું કહેવું છે કે દેશની છબી ખરાબ થઈ રહી છે, સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નુકસાન થઈ રહ્યું છે, કોર્ટમાં અરજીની સુનાવણી માટે 20 માર્ચની તારીખ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સ્વરા ભાસ્કરે હાલ નાગરિકતા સંશોધન બિલ અને એનઆરસી વિરુદ્ધ ભારે મોર્ચો ખોલ્યો છે.

સ્વરાને બોલતી બંધ થઈ ગઈ

સ્વરાને બોલતી બંધ થઈ ગઈ

જ્યારે હાલમાં જ એક મીડિયા હાઉસના કાર્યક્રમમાં સ્વરાને એનઆરસી સાથે જોડાયેલ એક સવાલ પૂછવામાં આવ્યો, ટ્વિટર પર એનઆરસી અને સીએએ વિરુદ્ધ મોર્ચો ખોલીને બેઠેલી સ્વરા ભાસ્કરને જ્યારે પત્રકારે એનઆરસી સાથે જોડાયેલ ડ્રાફ્ટ વિશે પૂછ્યું તો તેમણે વાતનો જવાબ ના આપતાં પત્રકારને ઉલ્ટો સવાલ કરી દીધો કે તમે મને કેમ પૂછી રહ્યા છે? આ મારું કામ નથી.

સ્વરાએ ખુદ નથી વાંચ્યો આખો ડ્રાફ્ટ

સ્વરાએ ખુદ નથી વાંચ્યો આખો ડ્રાફ્ટ

જણાવી દઈએ કે એક મીડિયા હાઉસના કાર્યક્રમમાં સ્વરા ભાસ્કરે કહ્યું કે સીએએને લઈ સરકાર સ્પષ્ટ જવાબ નથી આપી રહી માટે મારી જેમ બધા લોકોએ સરકારને વારંવાર સવાલ કરવા પડી રહ્યા છે. સરકારની ખુદની પૂરી તૈયારી નથી પરંતુ જ્યારે સરકારને સવાલ કરવામાં આવ્યો કે શું તેમણે સીએએનો આખો ડ્રાફ્ટ વાંચ્યો તો થોડા સમય માટે તેઓ ચૂપ થઈ ગયાં અને પછી બોલી કે તેના થોડા ભાગને વાંચ્યો છે.

પીએમ અમને નહિ દેશના ગૃહમંત્રીને સમજાવી દે

પીએમ અમને નહિ દેશના ગૃહમંત્રીને સમજાવી દે

પરંતુ જે લોકો આસામમાં એનઆરસી લાગૂ થયા બાદ કેમ્પોમાં મરી ગયા શું તેમને પણ પૂછવામાં આવશે કે વાંચ્યુ કે નહિ, આવા પ્રકારના સવાલોથી લોકો ચૂપ થવાના નથી, જ્યારે સ્વરા ભાસ્કરને પૂછવામાં આવ્યું કે જે બાળક પેદા જ નથી થયો તેનું મુંડન કેમ કરાવી રહી છે, આખરે પીએમ કઈ ભાષામાં કહે કે એનઆરસી નથી આવી રહ્યું તો સ્વરાનો જવાબ હતો કે પીએમ અમને નહિ દેશના ગૃહમંત્રીને સમજાવી દે કે એનઆરસી નથી આવી રહ્યું, બધા મામલા શાંત થઈ જશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X