કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં હાર સ્વીકારી, કહ્યું- અમારે સંગઠન મજબુત કરવુ પડશે
કોંગ્રેસે પુર્વોત્તરના ત્રણ રાજ્યોમાં હાર સ્વીકારી છે. અહીં કોંગ્રેસને કોઈ ખાસ સફળતા મળી નથી. હવે કોંગ્રેસ નેતાઓ સંગઠનને મજબુત કરવાની વાત કરી રહ્યા છે.
નવી દિલ્હી : પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના પરિણામોમાં કોંગ્રેસને કોઈ ખાસ સફળતા મળી નથી. જેમ જેમ મતગણતરી પૂર્ણ થઈ રહી છે તેમ તેમ પરિણામો સ્પષ્ઠ થઈ રહ્યા છે. નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટી બહુમતી મેળવતી જોવા મળી રહી છે. અહીં પ્રાદેશિક પક્ષોને પણ સીટો મળતી જોવા મળી રહી છે. બીજી તરફ NPP મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. પેટા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસનું સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ચૂંટણી પરિણામો જાહેર થતાંની સાથે જ વિવિધ પક્ષોના નિવેદનો પણ સામે આવી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પાર્ટી માટે આ પરિણામોને મિશ્રિત ગણાવ્યા છે.

જયરામ રમેશે કહ્યું કે, અમારા માટે ચૂંટણી પરિણામો પ્રોત્સાહક તેમજ નિરાશાજનક છે. અમારું ખાતું બંગાળમાં ખુલ્યું છે. મહારાષ્ટ્રમાં 30 વર્ષ પછી RSS-BJPના ગઢમાં કોંગ્રેસનો વિજય થયો છે. તેમણે આગળ કહ્યું કે, પૂર્વોત્તર રાજ્યોમાંથી અમને ત્રિપુરામાં બહુમતની અપેક્ષા હતી. નાગાલેન્ડમાં અમે જાણતા હતા કે ભાજપ ચાલાકીથી સરકાર બનાવશે. આ સાથે જયરામ રમેશે કહ્યું કે, મેઘાલયમાં ગઈ વખતે અમારી પાસે 21 ધારાસભ્યો હતા. જેઓ ચાલ્યા ગયા હતા. અહીં યુવા નેતાઓને ટિકિટ આપીને ભવિષ્યની કોંગ્રેસ તૈયાર કરી છે. અમે પરિણામ સ્વીકારીએ છીએ, આપણે સંગઠનને મજબૂત બનાવવાનું છે.
અહીં તમને જણાવી દઈએ કે, આ ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં 16 અને 27 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને આજે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી ચાલી રહી છે. નાગાલેન્ડ અને ત્રિપુરામાં બીજેપી બહુમતી મેળવતી જોવા મળી રહી છે. આ સાથે પ્રાદેશિક પક્ષો પણ આગળ જોવા મળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
