શશિ થરુરે કહ્યુ, કાશ્મીર અને કલમ 370 મુદ્દે કોંગ્રેસ-ભાજપનુ વલણ એકસમાન
જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ કોંગ્રેસ નેતાઓ પર પાકિસ્તાનની ભાષા બોલવાના આરોપોને ફગાવીને કોંગ્રેસ નેતા શશિ થરુરે એક નિવેદન આપ્યુ છે.
જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ કોંગ્રેસ નેતાઓ પર પાકિસ્તાનની ભાષા બોલવાના આરોપોને ફગાવીને કોંગ્રેસ નેતા શશિ થરુરે કહ્યુ કે વિપક્ષી દળોના નેતાઓના નિવેદનોથી પડોશી દેશને કોઈ ખુશી કે ફાયદો નથી થઈ રહ્યો. તેમણે ભાજપના આરોપોને ફગાવી દેતા કહ્યુ કે આ આરોપ નિરાધાર અને આશ્વર્યજનક છે કે અનુચ્છેદ 370 પર અમારા નિવેદનોથી પાકિસ્તાનને ફાયદો થઈ રહ્યો છે.
તેમણે કહ્યુ કે કોંગ્રેસ એક વિપક્ષી દળ રૂપે કહી રહ્યુ છે કે ભારતના એક અંગ જમ્મુ કાશ્મીરના નાગરિકો સાથે કયા પ્રકારનો વ્યવહાર કરાવો જોઈએ. તેમણે કહ્યુ કે આ નિવેદનોમાં એવુ કંઈ નથી કે જેનાથી પાકિસ્તાનને ખુશી કે ફાયદો થાય. તેમણે કહ્યુ કે કાશ્મીર વિશે કોંગ્રેસ અને ભાજપનુ નિવેદન એક છે.
Shashi Tharoor: Congress & BJP's stand is the same - we can't negotiate with a gun pointed to our heads. It's the position of India. There's no need of a third party. We're not talking to them (Pakistan) right now because they're using terrorists & we can never accept that.(3.10) https://t.co/nFVI5DQlZF
— ANI (@ANI) 3 October 2019
તેમણે પાકિસ્તાનની વિરોધમાં બોલતા કહ્યુ કે ભારતની આંતરિક બાબતોમાં દખલનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી. વળી, વિપક્ષી પાર્ટી કોંગ્રેસને એ હક છે કે મોટા બંધારણીય ફેરફારો સમયે ભારત સરકાર લોકતાંત્રિક પ્રક્રિયાઓનુ પાલન કરીને જનતાને સાથે લઈને આગળ વધે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાશ્મીર મુદ્દે મધ્યસ્થીની રજૂઆત વિશે તેમણે કહ્યુ કે પાકિસ્તાન સાથે વાતચીત માટે ભારતને કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થીની જરૂર નથી.