સોનિયા ગાંધીએ પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યુ - ફ્રી વેક્સીન આપવાની જવાબદારીમાંથી ભાગી રહી છે સરકાર
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને એક પત્ર લખ્યો છે જેમાં કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
નવી દિલ્લીઃ દેશમાં જ્યારે રસીકરણ અભિયાન શરૂ થયુ તો સૌથી પહેલા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવી. ત્યારબાદ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનો નંબર આવ્યો. બે દિવસ પહેલા પીએમ મોદીએ દેશને સંબોધિત કરીને 18 વર્ષની ઉપરના બધા લોકોને વેક્સીન આપવાની છૂટ આપી દીધી. જો કે આના પર પણ હવે રાજકારણ શરૂ થઈ ગયુ છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને એક પત્ર લખ્યો છે જેમાં કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
પત્રમાં સોનિયા ગાંધીએ કહ્યુ કે કેન્દ્રએ 18થી 45 વર્ષની ઉંમરના લોકોને વેક્સીન લેવાની મંજૂરી તો આપી દીધી છે પરંતુ મફતમાં રસી ઉપલબ્ધ કરાવવાની જવાબદારીમાંથી હાથ સરકાવી લીધો છે. વળી, સીરમ ઈન્સ્ટીટ્યુટે હોસ્પિટલો અને રાજ્યો માટે વેક્સીનના ભાવ અલગ અલગ નક્કી કર્યા છે જેના પર સોનિયાએ પૂછ્યુ કે એક જ વેક્સીનની કિંમત બે જગ્યાએ અલગ અલગ કેવી રીતે હોઈ શકે છે. આ સંકટની ઘડીમાં સરકાર કેવી રીતે નફાખોરીની મંજૂરી આપશે.
સોનિયા ગાંધીએ આગળ કહ્યુ કે વેક્સીનના ભાવ સંબંધિત નીતિ પર સરકાર ફરીથી વિચાર કરે કારણકે દરેક વ્યક્તિ એક સમાન કિંમતથી સંમત થશે. આ ઉપરાંત 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને વેક્સીન લગાવવામાં આવે, ભલે તેની આર્થિક સ્થિતિ ગમે તેવી હોય. આ લક્ષ્ય સાથે કેન્દ્ર સરકારે આગળ વધવુ જોઈએ.
Congress chief writes to PM over new #COVID19 vaccination policy for inoculation of people b/w 18-45 yrs of age
— ANI (@ANI) April 22, 2021
Letter reads "Policy implies GoI has abdicated responsibility to provide free vaccination for these citizens...Urge you to intervene & reverse ill-considered decision" pic.twitter.com/5jMypGgTmh
શું છે SIIના નવા ભાવ?
સીરમ ઈન્સ્ટીટ્યુટના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારને 150 રૂપિયામાં વેક્સીન આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારે એક ડોઝ માટે 400 રૂપિયા ચૂકવવા પડશે. વળી, ખાનગી હોસ્પિટલો માટે આ કિંમત 600 રૂપિયા રાખવામાં આવી છે. સોનિયા ઉપરાંત ઘણા અન્ય પક્ષોના નેતાઓએ અલગ અલગ ભાવ હોવા પર સવાલ ઉઠાવ્યા છે.
SCને સૉલિસિટર જનરલે જણાવ્યુ, દેશને ઑક્સિજનની તાતી જરૂર