યેદિયુરપ્પા સરકાર પર સુપ્રિમ કોર્ટમાં થયેલી સુનાવણીની 10 મોટી વાતો
કર્ણાટકમાં સત્તાનો સંગ્રામ બહુ જ રોમાંચક દોરમાં પહોંચી ગયો છે. યેદિયુરપ્પાના શપથને સુપ્રિમ કોર્ટમાં કોંગ્રેસે ચેલેન્જ કર્યુ હતુ. જે અંગે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
કર્ણાટકમાં સત્તાનો સંગ્રામ બહુ જ રોમાંચક દોરમાં પહોંચી ગયો છે. યેદિયુરપ્પાના શપથને સુપ્રિમ કોર્ટમાં કોંગ્રેસે ચેલેન્જ કર્યુ હતુ. જે અંગે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ભાજપનો પક્ષ રાખી રહેલા મુકુલ રોહતગીએ ત્રણ જજોની બેંચને તે 2 ચિઠ્ઠીઓ સોંપી જે યેદિયુરપ્પાએ રાજ્યપાલને આપી હતી.
1. કોર્ટમાં ભાજપનો પક્ષ રાખતા વકીલ રોહતગીએ કહ્યુ કે યેદિયુરપ્પાને રાજ્યપાલને ધારાસભ્યોના નામ આપવાની જરૂર નહોતી કારણકે તે સદનમાં બહુમત સાબિત કરવા માટે તૈયાર છે. મુકુલ રોહતગીએ સુપ્રિમ કોર્ટ સામે બોમ્બે જજમેન્ટનું ઉદાહરણ આપ્યુ.

આ એક નંબર ગેમ છે અને રાજ્યપાલે એ જોવાનું રહેશે
2. મુકુલ રોહતગીએ કહ્યુ કે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્ય સપોર્ટ કરશે અને આ સ્ટેન્ડ પર તેઓ કંઈ કહેવા નથી ઈચ્છતા. વળી, મુકુલ રોહતગીએ એ પણ કહ્યુ કે કોંગ્રેસ અને જેડીએસના લેટરમાં ધારાસભ્યોના હસ્તાક્ષર પૂરા નથી. બીજુ કે પક્ષના કેટલાક ધારાસભ્યોએ તેમને કહ્યુ કે તેમણે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને સમર્થન આપ્યુ નથી.
3. બીજાનો પક્ષ સાંભળ્યા બાદ સુપ્રિમ કોર્ટે કહ્યુ કે આ એક નંબર ગેમ છે અને રાજ્યપાલે એ જોવાનુ રહેશે કે કયા પક્ષ પાસે બહુમત છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ કે પ્રી-પોલ અલાયન્સ પોસ્ટ-પોલ અલાયન્સથી અલગ છે. માટે આનું પરીક્ષણ સદનમાં ફ્લોર ટેસ્ટ દ્વારા થશે.
4. સુપ્રિમ કોર્ટે કહ્યુ કે બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ છે કે ભાજપ સૌથી મોટો પક્ષ છે પછી 2 વિકલ્પ બચે છે. (1) રાજ્યપાલના નિર્ણયનું પરીક્ષણ કરવામાં આવે અને (2) શનિવારે જ ફ્લોર ટેસ્ટ થાય. જસ્ટીસ સીકરીએ કહ્યુ કે ફ્લોર ટેસ્ટ થઈ જવો જોઈએ અને સદનને એ નિર્ણય કરવા દો કે કોની પાસે બહુમત છે.

કોંગ્રેસે પણ કોર્ટમાં કરી આ દલીલો
5. આના પછી કોંગ્રેસનો પક્ષ રાખવા માટે આવેલા વકીલ મનુ સંઘવીએ કોર્ટમાં કહ્યુ કે, સુપ્રિમ કોર્ટે એ નિર્ણય કરવાનો રહેશે કે કોને પહેલા તક મળે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને કે ભાજપને.
6. વકીલ સંઘવીએ પૂછ્યુ કે રાજ્યપાલ એવુ કેવી રીતે વિચારી શકે કે ભાજપ બહુમત સાબિત કરી શકે છે જ્યારે જેડીએસ-કોંગ્રેસ પાસે પહેલેથી બહુમત છે. સિંઘવીએ દાવો કર્યો કે કોંગ્રેસ શનિવારે કોઈની પણ રાહ જોયા વિના ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે.
7. સિંઘવીએ કહ્યુ કે ધારાસભ્યો ડર્યા વિના વોટ કરી શકે તે માટે પૂરી સુરક્ષા અને વીડિયોગ્રાફી થવી જોઈએ. સુપ્રિમ કોર્ટે કહ્યુ કે તે ડીજીપીને આદેશ આપશે જેથી શનિવારે ફ્લોર ટેસ્ટ વ્યવસ્થિત રીતે થઈ શકે.

સુપ્રિમ કોર્ટનો નિર્ણય, કાલે જ સાબિત કરો બહુમત
8. આટલુ જ નહિ કોર્ટે ભાજપને એક મોટો ઝટકો આપતાં કહ્યુ કે ફ્લોર ટેસ્ટ થવા સુધી કોઈ એંગ્લો-ઈન્ડિયન સભ્યને નોમિનેટ ન કરવામાં આવે.
9. આના પર ભાજપના વકીલે કહ્યુ કે ફ્લોર ટેસ્ટ શનિવારે ન થવો જોઈએ. આના માટે એક નિશ્ચિત સમય હોવો જોઈએ અને તે માત્ર એક દિવસ નહિ. ફ્લોર ટેસ્ટ ઓછામાં ઓછો સોમવારે થવો જોઈએ. કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને રાજ્યની બહાર રાખવામાં આવ્યા છે. તેમને પણ મત આપવા માટે આવવુ પડશે માટે થોડો સમય આપવામાં આવે.
10. ત્યારબાદ સુપ્રિમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો કે શનિવારે જ ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવશે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
