વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહેમદ પટેલનુ કોરોનાથી નિધન, દીકરા ફેઝલ પટેલે ટ્વિટ કરીને આપી માહિતી
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના ખૂબ જ નજીક ગણાતા નેતા અહેમદ પટેલે આજે સવારે દુનિયાને અલવિદા કહી દીધી.
નવી દિલ્લીઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના ખૂબ જ નજીક ગણાતા નેતા અહેમદ પટેલે આજે સવારે દુનિયાને અલવિદા કહી દીધી. તેમના દીકરી ફેઝલ પટેલે ટ્વિટ કરીને તેમના નિધનની માહિતી આપી. તમને જણાવી દઈએ કે એક મહિના પહેલા અહમદ પટેલ કોરોનાથી સંક્રમિત મળી આવ્યા હતા ત્યારથી તે ગુરુગ્રામની મેંદાતા હોસ્પિટલમાં ભરતી હતા. તેમણે આજે સવારે 3 વાગીને 3-0 મિનિટે અંતિમ શ્વાસ લીધા. તેમના દીકરી ફેઝલ પટેલે ટ્વીટર પર લખ્યુ કે તે ખૂબ જ દુઃખ સાથે પોતાના પિતા અહેમદ પટેલના દુઃખદ અને અસામયિક મૃત્યુની ઘોષણા કરી રહ્યા છે.
ફેઝલે આગળ લખ્યુ કે લગભગ એક મહિના પહેલા તેમના પિતા કોરોના પૉઝિટીવ મળી આવ્યા હતા. ઈલાજ દરમિયાન તેમના ઘણા અંગોએ કામ કરવાનુ બંધ કરી દીધુ અને તે મલ્ટી ઑર્ગન ફેલ્યોરના શિકાર થઈ ગયા. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમને ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા. ફેઝલે લોકોને ભાવુક અપીલ કરી છે કે બધા લોકો કોરોના સાથે જોડાયેલ બધી ગાઈડલાઈન્સનુ પાલન કરે અને ભીડમાં જવાનુ ટાળે કારણકે સાવધાની જ બચાવ છે.
એક મહિના પહેલા સંક્રમિત થયા હતા અહેમદ પટેલ
તમને જણાવી દઈએ કે અહેમદ પટેલ એક મહિના પહેલા કોરોના સંક્રમિત થયા હતા ત્યારે તેમણે ખુદ ટ્વિટ કીને પોતાના પૉઝિટીવ હોવાની માહિતી આપી હતી. તેમણે ટ્વિટ કર્યુ હતુ કે, 'હું કોરોના પૉઝિટીવ થયો છુ, હું નિવેદન કરુ છુ કે જો મારી નજીક સંપર્કમાં આવ્યા છે તે ખુદને આઈસોલેટ કરી લે.' પરંતુ 15 નવેમ્બરે તેમની સ્થિતિ ઘણી બગડી ગઈ. ત્યારબાદ તેમને મેદાંતા હોસ્ટિપલમાં ભરતી કરવામાં આવ્યા હતા.
5 વાર રાજ્યસભા સાંસદ રહ્યા અહેમદ પટેલ
ઉલ્લેખનીય છે કે 71 વર્ષના અહેમદ પટેલ 3 વાર લોકસભા અને 5 વાર રાજ્ય સભા સાંસદ રહ્યા હતા. તેમણે પોતાની પહેલી ચૂંટણી 26 વર્ષની ઉંમરે ભરૂચથી જીતી હતી. સોનિયા ગાંધીના વિશેષ સલાહકાર અહેમદ પટેલને પાર્ટીના સંકટમોચક કહેવામાં આવતા હતા. તેમણે 2018માં કોંગ્રેસ પાર્ટીના ખજાનચી બનાવવામાં આવ્યા હતા.